તેમના પર પોતાના ફિલ્મના ડાયલોગ દ્વારા લોકોને ઉશ્કેરાવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જન્મદિવસના દિવસે જ પોલીસની કાર્યવાહીમાં ફસાઈ ગયા
માર્ચ 2021માં તેઓ ભાજપમાં જોડાયા
તેમના વિરુદ્ધ 153A, 504, 505 અને 120B કલમ લગાડવામાં આવી
જન્મદિવસના દિવસે જ પોલીસની કાર્યવાહીમાં ફસાઈ ગયા
ભારતીય જનતા પાર્ટીના નેતા અને એક્ટર મિથુન ચક્રવતી આજે તેમના જન્મદિવસના દિવસે જ પોલીસની કાર્યવાહીમાં ફસાઈ ગયા છે. સવારે 10 વાગ્યાથી પૂછપરછ ચાલુ છે. આ પૂછપરછ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમ્યાન તેમણે ભાષણમાં લોકો ઉશ્કેરાય તેવા શબ્દો બોલ્યા હતા. કોર્ટના આદેશ બાદ મિથુન ચક્રવતી સાથે પૂછપરછ શરૂ થઈ. માનિકતલાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ વર્ચ્યુઅલી રીતે મિથુન ચક્રવતી સાથે પૂછતાછ કરી રહ્યા છે. તેમના પર પોતાના ફિલ્મના ડાયલોગ દ્વારા લોકોને ઉશ્કેરાવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
માર્ચ 2021માં તેઓ ભાજપમાં જોડાયા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ માર્ચ 2021માં તેઓ ભાજપમાં જોડાયા હતા. તે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ પર ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે મંચ પરથી પોતાના ફિલ્મના ડાયલોગ બોલવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે હું કોબ્રા છું. જો કોઈ હક છીનવી લેશે તો હું ઊભો થઈ જઈશ.
તેમના વિરુદ્ધ 153A, 504, 505 અને 120B કલમ લગાડવામાં આવી
આ પછી તેમણે પોતાની મશહૂર ફિલ્મનો ડાયલોગ "મારુંગા યહાં, લાશ ગીરેગી સમશાનમે" બોલ્યા. આ બોલ્યા પછી તેમણે કહ્યું કે આ ડાયલોગ તો હવે જૂનો થઈ ગયો છે એટલે હવે નવો ડાયલોગ છે, " મે સાંપ નહીં, મે તો કોબ્રા હૂ" વધુ માં તેઓ બોલ્યા કે "મે એક હી દંશ મે કામ તમામ કર દૂંગા" આ બધા ડાયલોગ બાદ, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ 153A, 504, 505 અને 120B કલમ લગાડવામાં આવી. આ અરજી કોર્ટમાં દાખલ થયા બાદ તેમણે કહ્યું કે મે માત્ર મારી ફિલ્મના ડાયલોગ કહ્યા છે, બીજો મારો કોઈ ઇરાદો હતો નહીં. કોર્ટના આદેશ બાદ મિથુન ચક્રવતી સાથે પૂછપરછ શરૂ થઈ. માનિકતલાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ વર્ચ્યુઅલી રીતે મિથુન ચક્રવતી સાથે પૂછતાછ કરી રહ્યા છે.