નાસાના અધ્યક્ષના નિવેદનથી અલગ અમેરિકાના કાર્યકારી રક્ષા સચિવે 28 માર્ચના રોજ થયેલા ટુકડાથી કોઇ ખતરાને નકારી દીધો છે. પેટ્રિક શનાહના જણાવ્યા મુજબ આ ટુકાડાઓ પોતાની જાતે વાતાવરણમાં સળગી જશે.
ભારતના એ-સેટ (મિશન શક્તિ) અભિયાનને સોમવારે જ્યાં નાસાએ ભયાનક બતાવતાં કહ્યું હતું કે આ સેટેલાઇટના ટુકડાના કારણે ભયની જાણકારી આપી. જો કે હવે અમેરિકાએ પોતાના સૂર બદલ્યાં છે. અમેરિકાએ જણાવ્યું છે કે અંતરિક્ષમાં સેટેલાઇટના ટુકડા પોતાની જાતે જ સળગી જશે.
પેન્ટાગન તરફથી ગુરૂવારે આપેલી જાણકારી મુજબ તેઓ ગત આંકલન પર હજુ અડગ છે કે ભારતના એન્ટી-સેટેલાઇટના ટુકડા અંતરિક્ષમાં જ સળગી જશે. ઉલ્લેખનીય છે કે ભારતે હાલમાં જ એક સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલને ઇન્ટરસેપ્ટરની મદદથી પોતાની જ મિસાઇલને 300 કિમી (186 મીલ)ની ઉંચાઇ પર તોડી પાડી હતી.
આ પરીક્ષણથી ભારતે અંતરિક્ષમાં પોતાની તાકાતને લઇને વિશ્વભરને પરચો બતાવ્યો હતો. નાસાના અધ્યક્ષ બ્રિડેનસ્ટાઇને સોમવારે જણાવ્યું હતું કે મિશન શક્તિના કારણે અંતરિક્ષમાં અંદાજે 300થી વધારે ટુકડા પડયા છે. ભારતના આ પગલાથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશ (આઇએસએસ)માં ઉપસ્થિત અંતરિક્ષ યાત્રીઓ માટે નવો ખતરો ઉભો થયો છે.
જો કે નાસાના અધ્યક્ષના નિવેદનથી અલગ અમેરિકાના કાર્યકારી રક્ષા સચિવે 28 માર્ચના રોજ થયેલા ટુકડાથી કોઇ ખતરાને નકારી દીધો છે. પેટ્રિક શનાહના જણાવ્યા મુજબ આ ટુકાડાઓ પોતાની જાતે વાતાવરણમાં સળગી જશે.