Mission Raniganj Trailer Date: અક્ષય કુમારની ગણતરી બોલિવુડના એ અભિનેતાઓમાં થાય છે જેમણે કોમેડી, સીરિયસ અને એક્શન દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે.
આવી રહી છે અક્ષયની 'મિશન રાનીગંજ'
ટૂંક સમયમાં રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર
1989ની કોલસા દુર્ઘટના પર છે ફિલ્મ
આ વર્ષે 'OMG-2'માં શિવ ભગવાનના દૂત બન્યા બાદ અક્ષય કુમાર હવે પોતાના ફેંસની સામે 'મિશન રાનીગંજ'ની હકીકત લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને એક્ટર ખૂબ જ ઉત્સાહિત છે.
ફિલ્મની સ્ટોરી 1989ના બેકડ્રોપ પર બની છે. જેની સ્ટોરી રાનીગંજના મહત્વના રેસ્ક્યૂ મિશનની આજુબાજુ ફરે છે. ફેંસ ફિલ્મના ટ્રેલરને જોવા માટે ઉત્સાહિત છે અને તેમની આ ઉત્સુકતા થોડી દિવસોમાં જ પુરી થવાની છે.
કોલસા દુર્ઘટના પર આધારિત છે 'મિશન રાનીગંજ'
ટીનૂ સરેશ દેસાઈના ડાયરેક્શનમાં બનીને તૈયાર થયેલી અક્ષય કુમારની 'મિશન રાનીગંજ' કોલ માઈન એક્સીડેન્ટ પર આધારીત છે. જેણે દેશ અને દુનિયાને શૉકમાં લાવી દીધા. ફિલ્મમાં 1989માં થયેલા કોલસા દુર્ઘટનાને દર્શાવવામાં આવ્યો છે.
તેમાં અક્ષય કુમાર, જસવન્ત સિંહ ગિલના કેરેક્ટરમાં જોવા મળશે. તેમની પત્નીનો રોલ પરિણીતિ ચોપડા કરશે. મોટા પડદા પર બન્નેની જોડી કેસરીમાં જોવા મળી હતી.
ક્યારે આવશે ટ્રેલર?
અક્ષય કુમારે શનિવારે એક્સ પર ફિલ્મનો નાનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું, "એક આદમી જેને વિપરીત પરિસ્થિતિઓને પડકાર્યા છે. #MissionRaniganjTrailer મંડે. 25 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. જુઓ ભારતના અસલી હીરોની સ્ટોરી #MissionRaniganjની સાથે 6 ઓક્ટોબરે."