અંદાજે 978 કરોડ રૂપિયાના મિશન ચંદ્રયાન-2 સાથે જોડાયેલ ઓછામાં ઓછાં 5 અધિકારીઓએ જણાવ્યું કે, વર્તમાન સ્થિતિને જોતા કહી શકાય છે કે ઓર્બિટરનાં જીવનકાળને એક વર્ષ હજી વધારી શકાય છે. આ પહેલા ઇસરોનાં ચેરમેનનાં સિવને 12 જૂનનાં રોજ જણાવ્યું હતું કે, ઓર્બિટરનો જીવનકાળ એક વર્ષ છે.
બેંગલુરૂઃ 'ચંદા મામા'ની સપાટી પર પગલું ભરવા માટે ઉત્સુક એવા ભારતીય અંતરિક્ષ શોધ સંસ્થા (ISRO)ને માટે ખૂબ સારા એવા સમાચાર છે. ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવને માટે 22 જુલાઇનાં રોજ રવાના થયેલ ચંદ્રયાન-2 (chandrayaan-2) ના ઓર્બિટર (Orbiter) ના જીવનકાળને એક વર્ષ વધારે વધારી શકાય છે. આ પહેલાં ઇસરોએ અનુમાન લગાવ્યું હતું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. હવે તે બે વર્ષ સુધી કામ કરી શકશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અંદાજે 978 કરોડ રૂપિયાના મિશન ચંદ્રયાન-2 સાથે જોડાયેલ ઓછામાં ઓછાં 5 અધિકારીઓએ જણાવ્યું કે, વર્તમાન સ્થિતિને જોતા કહી શકાય છે કે ઓર્બિટરનાં જીવનકાળને એક વર્ષ હજી વધારી શકાય છે. આ પહેલા ઇસરોનાં ચેરમેનનાં સિવને 12 જૂનનાં રોજ જણાવ્યું હતું કે, ઓર્બિટરનો જીવનકાળ એક વર્ષ છે.
ઓર્બિટરમાં લૉન્ચિંગના સમયમાં 1697 કિ.ગ્રા ઇંધણઃ
મિશન સાથે જોડાયેલ એક અધિકારીએ કહ્યું કે, 'ચંદ્રયાન-1ને વધારે સમય સુધી કામ કરવા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ પૉવર કન્વર્ટરમાં સમસ્યા આવવાને કારણ તેનો જીવનકાળ ઓછો થઇ ગયો. આને ચંદ્રયાન-2માં બરાબર કરી દેવામાં આવેલ છે. ચંદ્રયાન-2ની પાસે એક વર્ષથી વધારે સમય સુધી કામ કરવા માટે ઇંધણ છે.'
તમને જણાવી દઇએ કે ઓર્બિટરમાં લોન્ચિંગના સમયમાં 1967 કિ.ગ્રાનું ઇંધણ હતુ અને 24 તથા 26 જુલાઇનાં બે વાર પોતાની સ્થિતિમાં ફેરફાર માટે 130 કિ.ગ્રા અતિરિક્ત ઇંધણ ભરવામાં આવ્યું હતું. શનિવારનાં રોજ ઓર્બિટરમાં 1500 કિ.ગ્રાથી વધારે ઇંધણ બચ્યુ હતું. આ મિશન સાથે જોડાયેલ એક વૈજ્ઞાનિકે કહ્યું કે, વધારે સારી રીતે લોન્ચિંગ થવાને કારણથી 40 કિલો ઇંધણ બચી ગયું છે.
ઓર્બિટર પાસે 290.2 કિ.ગ્રા ઇંધણ હોવું જરૂરીઃ
એક અન્ય વૈજ્ઞાનિકે કહ્યું કે, 'શરૂઆતના પ્લાનમાં અતિરિક્ત ઇંધણ આપાતકાલીન સ્થિતિઓ માટે આપવામાં આવ્યું હતું. વર્તમાન અનુમાન અનુસાર, અમારી પાસે ઓર્બિટમાં એક વર્ષથી વધારે સમય સુધી કામ કરવા માટે ઇંધણ છે.' કક્ષામાં તમામ ફેરફાર બાદ અંતમાં ઓર્બિટરની પાસે 290.2 કિ.ગ્રા ઇંધણ હોવું જોઇએ, જેથી ચંદ્રમાના ચક્કર લગાવી શકે. એક વૈજ્ઞાનિકે કહ્યું કે, 'હજી એટલું ઇંધણ છે કે ચંદ્રમાની કક્ષામાં બે વર્ષ સુધી ચક્કર લગાવી શકે એમ છે.'