વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢમાં જાહેરસભા અને રોડ-શો કરે તેવી શક્યતા
સુરતમાં PM મોદીની યોજાઈ શકે છે સભા
પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર PMનો રોડ-શો યોજાઈ શકે છે
આગામી 27 નવેમ્બરે PM મોદી સુરત આવશે
જાહેરસભા બાદ વડાપ્રધાન મોદીનું સુરતમાં જ રાત્રિ રોકાણઃ સૂત્રો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે. સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે. રોજ રોજ સભાઓ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢ સુરતની મુલાકાતે આવવાના છે.
રાજ્યમાં વિધાનસભાની ચુંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 નવેમ્બરે સુરતમાં આવવાના છે. જેને લઈ સુરત ભાજપની ટીમ કવાયતમાં લાગી છે. આ તરફ હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ-શો પણ કરી શકે છે. મહત્વનું છે કે, સુરત પાટીદારોનો ગઢ ગણાય છે. જોકે આ વખતે સુરતમાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. તેવામાં હવે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર PMનો રોડ-શો યોજાઈ શકે છે.
પાટીદારોના ગઢ સુરતમાં PM મોદીની એન્ટ્રી
સુરતમાં વડાપ્રધાનના આગમનને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સુરત ભાજપના ઉમેદવારો હાલ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તેવામાં આગામી 27 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવશે. જોકે એવી પણ વાત સામે આવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર PMનો રોડ-શો કરી શકે છે. આ સાથે જાહેરસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદીનું સુરતમાં જ રાત્રિ રોકાણ થઈ શકે છે.
PM મોદીએ વલસાડથી ચૂંટણી પ્રચાર માટે ફૂંક્યું હતું રણશિંગું
ગત ચૂંટણી જે બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી તેના પર આ વખતે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ વલસાડના નાના પોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાવી હતી. જ્યાં સભાને સંબોધીને ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંક્યું હતું. પીએમ મોદીએ 19 નવેમ્બરના રોજ સોમનાથ દાદાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. જે બાદ તેમણે વેરાવળમાં જાહેર સભાને સંબોધી હતી. જે બાદ PM મોદીએ ધોરાજી, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં સભા સબોધી હતી. જે બાદ 23 નવેમ્બરના રોજ પીએમ મોદીએ મહેસાણામાં સભાને સંબોધન કરી હતી.