'ચંદ્રયાન 2' ને લઇને પ્રશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવદેન આપ્યુ છે.
શુક્રવારે મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા કહ્યુ કે, એવુ લાગી રહ્યુ છે કે, દેશનું પહેલી વખત ચંદ્રયાન લોન્ચ થઇ રહ્યુ છે.લાગી રહ્યુ છે સત્તામાં આવતા પહેલા કોઇ પણ પ્રકરાના મિશનને અંજામ આપવામાં આવ્યો ન હતો. આ આર્થિક મંદી પરથી ધ્યાન હટાવવા માટેનો પ્રયત્ન છે.
મમતા બેનર્જીએ રાજ્ય વિધાનસભામાં કહ્યુ કે, લોકતંત્રના તમામ સ્તંભ, મીડિયા, ન્યાયપાલિકાને કેન્દ્રીય સલાહ પર ચલાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક ભારતીયોના નામ NRC ની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. હું ડો. મનમોહન સિંહના શબ્દોને સમર્થન કરું છે કે, સરકારને રાજનીતિક પ્રતિશોધની સરખામણીમાં અર્થવ્યવસ્થા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ.
West Bengal CM Mamata Banerjee in state Assembly: All pillars of democracy- media, judiciary- all being run by central advisories. Names of genuine Indians have been excluded from NRC list. I echo Dr. Manmohan Singh's words, concentrate more on economy than political vendetta. https://t.co/jTi6HFOmlu
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે, TMC સરકાર રાજ્યમાં NRC લાગૂ કરવાની અનૂમતિ નહી આપે. NRC ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની રાજનીતિક પ્રતિશોધ સિવાય કંઇ નથી. અમે ભાજપને પ્રશ્ચિમ બંગાળમાં નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટ્રરમાં ક્યારેય લાગૂ નહી કરવા દઇએ.આ દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ પરથી ધ્યાન હટાવવા માટેના પ્રયત્ન સિવાય કંઇ નથી.
કેન્દ્રને ચિદંબરમ પ્રતિ થોડું સન્માન દેખાડવાની જરૂર હતી
પ્રશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ INX મીડિયાના મામલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમને તિહાડ જેલમાં મોકલવાના મામલામાં શુક્રવારે ટીકા કરતા કહ્યુ કે, ''મને નથી ખબર કે ચિદંબરમનો મામલો શું છે, કાયદો પોતાનું કામ કરશે. પરંતુ તેમણે સાધારણ કેદીની જેમ તિહાડ જેલમાં રાખવા પાછળનો હેતુ શું છે? કેન્દ્ર સરકારે તેમના પ્રતિ સન્માન બતાવવુ જોઇએ.''