મિશન 2024ને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી મોટા ફેરફાર કરવાના મૂડમાં છે, તાજેતરમાં જ ત્રિપુરાના સીએમ બદલી નાખ્યા છે, ત્યારે હવે એક એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આગામી દિવસોમાં હજૂ પણ બીજા 3 રાજ્યોમાં મોટા ફેરફાર થવાના છે.
ત્રિપુરામાં સીએમ બદલી દેવામાં આવ્યા
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટા પાયે પરિવર્તન થશે
હવે આ 3 રાજ્યોનો વારો લેવાશે
ત્રિપુરાના સીએમ બિપ્લવ દેવે શનિવારે રાજીનામુ આપી દીધું હતું. મિશન 2024ને મજબૂત કરવા અને ચૂંટણી રાજ્યમાં મજબૂતી દાવેદારી માટે મેસેજ આપવા રાજ્યમાં મુખ્યમંત્રી બદલ્યા હોવાનું કહેવાય છે. હકીકતમાં જોઈએ તો, ગુરૂવારે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મોડી રાત સુધી ચાલેલી ઉચ્ચ સ્તરિય મેરેથોન બેઠકમાં 21થી જયપુરમાં થઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીની બેઠક પહેલા ફેરફારોમાં સહમતી બની છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંગઠન મહાસચિવ બીએસ સંતોષ હાજર રહ્યા હતા.
ત્રિપુરા બાદ હવે આ 3 રાજ્યોનો વારો
સૂત્રોનું કહેવુ છે કે, હજૂ પણ અમુક રાજ્યોમાં મોટા ફેરફાર થઈ શકે છે. તેમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ આગળ આવે છે. પરિવર્તનની ચર્ચા વચ્ચે શિવરાજ સિંહે શનિવારે વિદેશ જવાનો પ્રોગ્રામ પર કેન્સલ કરી દીધો છે. જ્યારે હરિયાણા અને કર્ણાટકમાં પણ ફેરફાર કરવા માટે સતત મંથન ચાલી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, આ રાજ્યોમાં લોકસભા પહેલા વિધાનસભા ચૂંટણીઓ આવવાની છે, એટલા માટે હાઈકમાન્ડ કોઈ રિસ્ક લેવા માગતું નથી.
રાષ્ટ્રીય સંગઠનના ખાલી પદ ભરવામા આવશે
જયપુરમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક પહેલા રાજ્યોના સંગઠનમાં ફેરફાર, રાષ્ટ્રીય સંગઠનના ખાલી પદ ભરવા અને મામૂલી સ્તર પર ફેરફારની પ્રક્રિયા પુરી કરી લેવામા આવશે. હરિયાણા, મધ્ય પ્રદેશ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓના ભાગ્યનો નિર્ણય જલ્દી થઈ જશે.
આટલા ફેરફાર કરવાના મૂડમાં છે ભાજપ
આ રાજ્યોમાં પણ નેતૃત્વ પરિવર્તનની ચર્ચા થઈ છે. જો કે, આ સંબંધમાં હજૂ પણ એક બેઠક થશે. અહીં ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સંગઠનમાં સંસદીય બોર્ડના ચાર, મહાસચિવ અને સંયુક્ત સંગઠન મહાસચિવના ત્રણ-ત્રણ પદ કેટલાય સમયથી ખાલી પડ્યા છે. બેઠકમાં આ પદ માટે નામો અને મામૂલી ફેરફાર કરવાની ચર્ચા છે. આ ઉપરાંત અમુક રાજ્યોના સંગઠન મંત્રીઓ બદલવા પર સહમતી થઈ ગઈ છે.