ધનસુરાના ગૂમ થયેલા વિદ્યાર્થીની લાશ મળી આવી છે. ચાર દિવસ પહેલા અપહરણની ફરિયાદ થઈ હતી. ધોરણ-10ના વિદ્યાર્થીની સાગપુર કેનાલમાંથી લાશ મળી આવી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીની લાશ મળતા વિધવા માતાએ હોશકોશ ગુમાવી દીધા હતા ચાર મહિના પહેલા પતિ અને હવે પુત્રને પણ ગુમાવી દેતા વિધવામાં ના આંસૂ આંખમાં સમાતા ન હતા.
ધનસુરાના ગૂમ વિદ્યાર્થીની મળી લાશ
ચાર દિવસ પહેલા અપહરણની થઈ હતી ફરિયાદ
ધોરણ 10ના વિદ્યાર્થીની સાગપુર કેનાલમાંથી લાશ મળી
30 ડિસેમ્બર 2019થી વિદ્યાર્થી ગુમ થયો હતો. ઘરેથી શાળાએ જવાનું કહીને ગયેલો કિશોર ઘરે પરત ન ફરતા ગામમાં હો હા થઈ ગઈ હતુ પરંતુ આજે તેની લાશ મળી આવતાં તેની માતા ઉપર આભ તુટી પડ્યું હતુ.
ચાર મહિના પહેલા જ પિતાનું થયુ હતુ મોત
આ મામલે મળતી માહિતી પ્રમાણે, ધનસુરા તાલુકાનાં ખિલોડીયા ગામનો 15 વર્ષનો કિશોર અચાનક ગુમ થઇ ગયો છે. આ કિશોરના પિતાનું ચાર મહિના પહેલા જ હૃદયરોગનાં હુમલાથી મોત નીપજ્યું હતું.
શાળાએથી વહેલો નીકળી ગયો હતો
જતીનસિંહ ઉર્ફે ગફુર (ઉ.વ. 15) સોમવારે શાળામાં ગયા પછી તેના ગામના મિત્ર અને સાથે ભણતા શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયો હતો. જે બાદ ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચતા જતીને વહેલા ઘરે જતા પરિવારજનો બોલશે તેવું જણાવીને પુલીયા નજીક ગરનાળા પર બેસી ગયો હતો. તેનો મિત્ર ઘરે જતો રહ્યો હતો. કિશોર ઘરે સમયસર ન પહોંચતા તેની માતાએ અને પરિવાજનોએ શોધખોળ હાથધરી હતી.
કેનાલ પાસેથે આ પહેલા દફ્તર અને ચંપલ મળી આવ્યા હતા
પરિવારને શોધખોળમાં પોતાનો લાડકવાયો ન મળતા તેમણે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં કિશોરનાં ચપ્પલ અને દફતર કેનાલ પાસેથી મળી આવ્યાં હતાં.