સુરતનાં બારડોલીમાંથી ગુમ થયેલાં વકીલ મળી આવ્યાં છે. વકીલે એક મહિલા સહીત કેટલાક લોકો પર અપહરણનો આક્ષેપ કર્યો છે. તેમજ તેઓ ક્યાં અને કેવી રીતે કઈ હાલતમાં મળી આવ્યાં હતાં. જ્યારે કે કોણે તેમનું અપહરણ કર્યું હતું. કેવી રીતે તમેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અલગટ નામનાં વકીલનું 10 દિવસ પહેલાં અપહરણ થયુ હતુ
15 નવેમ્બરનાં રોજ ગુમ થયેલાં વકીલ તાપીનાં વાલોડ પાસેથી મળ્યાં
બારડોલી કેસમાં હાજરી આપ્યાં બાદ વકીલ ગુમ થયા હતા
બારડોલી કેસમાં હાજરી આપ્યાં બાદ વકીલ ગુમ થયા હતા
સુરતનાં બારડોલીમાંથી 10 દિવસ પહેલાં ગુમ થયેલા અલગટ નામનાં વકીલ મળી આવ્યાં છે. 15 નવેમ્બરનાં રોજ બારડોલી કોર્ટમાંથી કેસમાં હાજરી આપ્યાં બાદ વકીલનું અપરહણ થયું હોવાનું મનાઈ રહ્યું હતું. આ વકીલ કથિત અપહરણનાં 10 બાદ વકીલ તાપીનાં વાલોડ પાસેથી મળી આવ્યાં છે.
વકીલે કહ્યું તેમનું અપહરણ થયું હતું
વકીલે 1 મહિલા અને અન્ય લોકોએ તેમનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલા દ્વારા બન્ને હાથમાં ઈન્જેક્શન આપ્યા હોવાનો પણ આક્ષેપ વકીલે કર્યો છે. વકીલે એમ પણ જણાવ્યું હતું કે તેમને અપહરણ કર્યા બાદ ગોંધી રાખવામાં આવ્યાં હતાં. વકીલ જે તે સમયે ગુમ હોવાને કારણે પોલીસે તેમના મિસિંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેને પગલે હાલ મળી આવેલા વકીલની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ સાથે પોલીસે તેમનું નિવેદન લેવાનું શરું કર્યું છે.