છત્તીસગઢના બીજાપુરમાં હુમલા બાદ નક્સીઓના કબજામાં રહેલા કોબરા કમાન્ડો રાજેશ્વરસિંહની દીકરી પોતાના પિતાને જલ્દી આવવા કહી રહી છે. તો પત્નીએ સરકારને અપીલ કરી છે.
છત્તીસગઢના નક્સલી હુમલામાં 22 જવાન શહીદ, 1 લાપતા છે
રાજેશ્વરસિંહ કોબરા કમાન્ડર નકસલીઓના કબજામાં છે
લાપતા જવાનની દીકરી પોતાના પીતાને જલ્દી ઘરે આવવા કહી રહી છે
છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાન શહીદ થઇ ગયા છે. આ હુમલા બાદ રાકેશ્વર સિંહ મનહાસ નામનો એક જવાન શનિવારે થયેલા એન્કાઉન્ટર બાદથી જ લાપતા છે. કહેવામાં આવી રહ્યું છે કે, નક્સલીઓએ તેમને બંધક બનાવી લીધો છે. આ વચ્ચે લાપતા જવાનની માસૂમ બાળકીએ રડતા રડતા પોતાના પીતાને જલ્દી આવવાની ગુહાર લગાવી છે.
જવાન રાકેશ્વરસિંહ મનહાસની દીકરીએ મીડિયાની સામે રડતા રડતા કહ્યું કે મારા પપ્પા જલ્દી આવી જાઓ. માસૂમની આ માર્મિક અપીલથી ત્યાં હજાર તમામની આંખો છલકાઇ ગઇ. વીડિયોમાં લાપતા જવાનની દીકરી કહી રહી છે... મારા પપ્પા જલ્દી આવી જાઓ. ત્યારબાદ દીકરી રડવા લાગે છે.
#Bijapur#NaxalAttack में बंधक बनाए गए जवान की बेटी की आवाज़ सुनकर मन भावुक हो गया.
परिवार के दर्द की हम सिर्फ कल्पना ही कर सकते हैं...
उनकी सुरक्षित वापसी के लिए हर संभव प्रयास किये जा रहे हैं. आपके पिताजी रक बहादुर योद्धा हैं बिटिया. आप भी उनकी तरह धैर्य और हिम्मत से काम लें... pic.twitter.com/8dwTw5xkj3
લાપતા જવાનની પત્નીએ જણાવ્યું કે, પતિએ કહ્યું હતું કે- 'હું ઓપરેશનમાં જઇ રહ્યો છું, શનિવારે ફોન કરીશ પછી ફોન જ નથી આવ્યો....'
રાજેશ્વરસિંહની પત્નીએ જણાવ્યું કે શુક્રવારની રાતે છેલ્લી વાર તેમની સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશનમાં જઈ રહ્યો છું. શનિવારે ફોન કરીશ. તે પછી તેમનો ફોન નથી આવ્યો, તેઓ ફોન જ ઉઠાવતા નથી.
અભિનંદનની જેમ મારા પતિને પણ છોડાવી લાવવામાં આવે
તેમણે કહ્યું કે શનિવાર રાતથી અમે તેમને સતત ફોન કરી રહ્યાં છીએ. રિંગ વાગી રહી છે પરંતુ ફોન ઉઠાવતા નથી. ત્યાર બાદ અમને હુમલાની જાણકારી મળી. ત્યાર બાદ અમે કન્ટ્રોલ રુમમાં ફોન કર્યો ત્યાંથી પણ જાણકારી મળી કે તેઓ મિસિંગ લિસ્ટમાં છે. ત્યાર બાદ અમને કહેવાયું કે સીઆરપીએફ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે, જેવી જાણકારી મળશે અમને જાણ કરવામાં આવશે.
સરકાર નકસલીઓની માંગણી પૂરી કરે
પત્નીએ જણાવ્યું કે હાલમાં તેમના કોઈ વાવડ આવતા નથી. અમે લોકો ફક્ત ટીવી પર જાણકારી લઈ રહ્યાં છીએ. તેઓ નકસલીઓના કબજામાં છે. હું છત્તસીગઢ સરકારને વિનંતી કરુ છું કે નક્સલીઓની જે પણ માંગ હોય તેને પૂરી કરવામાં આવે જેથી કરીને મારા પતિનો છૂટકારો થાય. તેમણે કહ્યું કે પહેલા પણ રાજેશ્વર ઓપરેશન ભાગ લઈ ચૂક્યા છે. તેઓ સતત ચાર દિવસ સુધી ઓપરેશનમાં રહ્યાં છે.
ઘરમાં લગ્નની તૈયારી, વચ્ચે આવા દુખદ સમાચાર મળ્યાં
પત્નીએ કહ્યું કે મારા ભાઈના લગ્ન છે. અમે તેની તૈયારીમાં લાગ્યા હતા અને વચ્ચે આ સમાચાર મળ્યાં. સરકારને અમારી અપીલ છે કે તેમને સહિસલામત છોડાવી લાવવામાં આવે. રાજેશ્વરની માતાએ પણ પીએમ મોદીને અપીલ કરી કે તેમના પુત્રને સહિસલામત છોડાવી લાવવામાં આવે.
મારા સસરા પણ દેશકાજે શહીદ થયેલા છે
પત્નીએ વિલાપ કરતા જણાવ્યુંકે સરકારે નકસીઓની માંગ પૂરી કરવી જોઈએ જેથી કરીને મારા પતિ સહિસલામત ઘેર આવી શકે. કારણ કે દેશના જવાન છે. મારા સસરા પણ દેશકાજે શહીદ થઈ ચૂક્યા છે. હવે અમે નથી ઈચ્છતા કે અમારા પરિવાર સાથે આવી કોઈ અઘટિત ઘટના ઘટે.