ભારતીય નૌસેના તરફથી ઇમ્ફાલ વિધ્વંસક લડાકૂ જહાજને પાણીમાં ઊતારી દેવામાં આવ્યું છે. આ ભવિષ્યમાં હિંદ મહાસાગરમાં દેશના હિતોની રક્ષા કરશે અને અહીંયા ખરાબ નજર નાખનાર દુશ્મનને કડક પડકાર આપશે.
ભારતીય નૌસેનાએ શનિવારે વિધ્વંસક જહાજ આઇએનએસ ઇમ્ફાલને મુંબઇના મઝગામ કિનારે દરિયામાં ઊતારવામાં આવ્યું છે. રડારને માત આપીને દુશ્મન પર હુમલો કરવાની તાકાત વાળું આ જહાજ હાઇડેડ મિસાઇલોને ધ્વસ્ત કરવામાં પણ માહિર છે. એને ભારતમાં જ ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યું છે.
આ યુદ્ધપોતના આવવાથી ભારતીય નૌસેનાની તાકાતમાં ખૂબ વધારો થઇ ગયો છે. એનું વજન 3,037 ટન છે. હવે જલ્દી એને અત્યાધુનિક હથિયારો અને તાકાતવર બ્રહ્મોસ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલોથી લેસ કરવામાં આવશે. ત્યારબાદ એનું વજન 7300 ટન થઇ જશે.
#WATCH Reena Lanba, wife of Chief of Naval Staff Admiral Sunil Lanba and President of Navy Wives Welfare Association (NWWA), launched the third ship of Project 15B, Guided Missile Destroyer Imphal, in Mumbai yesterday. #Maharashtrapic.twitter.com/p09Dp4s0w3
પ્રોજેક્ટ 15 બી હેઠળ બનેલા યુદ્ધપોત 2015 અને 2016માં આવ્યા હતા. આ વિશાખાપટ્ટનમ અને મોરમુગાઓ બંદરગાહ પર સમુદ્રમાં ઊતારવામાં આવ્યા હતા. આઇએનએસ એના હેઠળ બનેલું ત્રીજું યુદ્ધપોત છે.
વર્ષ 2021માં ત્રણેય યુદ્ધપોત ભારતીય નૌસેનામાં સામેલ કરી લેવામાં આવશે. એક અન્ય આઇએનએસ પોરબંદરનું નિર્માણ હાલ ચાલી રહ્યું છે.
આઇએનએસ ઇમ્ફાલની વિશેષતાઓ
આઇએનએસ ઇમ્ફાલ જહાજમાં બે હેલીકૉપ્ટર તૈનાત થઇ શકે છે.
એની લંબાઇ 163 મીટર અને પહોળાઇ 17.4 મીટર છે.
ચાર ગેસ ટરબાઇનથી ચાલતા આ પોતની ગતિ 30 નૉટિકલ મીલ છે.
એની મિસાઇલો જમીન, સમુદ્ર અને આકાશમાં નિશાનો સાધી શકશે.
એમાં ગાઇડેડ મિસાઇલોને ધ્વસ્ત કરવાની ક્ષમતા છે.
આ યુદ્ધપોત દુનિયાના બીજા દેશોમાં નિર્મિત પોતાની શ્રેણીના યુદ્ધપોતોને ટક્કર આપવામાં સક્ષમ છે.