લોકડાઉન સમયથી વેબ સીરિઝ ખૂબ જ ચાલી રહી છે. ખાસ કરીને યુવાનોમાં વેબ સીરિઝનો જબરો ક્રેઝ છે. તો આજે અમે તમને સૌથી પોપ્યુલર વેબ સીરિઝ મિર્ઝાપુર 3 વિશે જણાવીશું.
હવે સીરિઝના નિર્માતાએ ત્રીજી સિઝનને લઈને કર્યો મોટો ખુલાસો
ત્રીજી સીઝન માટે ચાહકોને થોડી વધુ રાહ જોવી પડશે
મિર્ઝાપુર વેબ સીરિઝની પહેલી સિઝને ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી દીધી. જેના કારણે બીજી સિઝન ખૂબ ચર્ચામાં રહી. તો હવે મિર્ઝાપુર 3 ક્યારે સ્ટ્રીમ થઈ રહી છે? આ સવાલો લોકોના મનમાં સતત આવી રહ્યાં છે. હવે મિર્ઝાપુર'ના ડિરેક્ટર રિતેશ સિધવાણીએ આ વિશે મોટો ખુલાસો કર્યો છે. જોકે, મહામારીને કારણે એવી આશંકાઓ છે કે તેની ત્રીજી સીઝન માટે ચાહકોને થોડી વધુ રાહ જોવી પડશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતેશ સિધવાનીએ હાલમાં જ તેની ત્રીજી સિઝન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'અમે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છીએ. અમે ખરેખર આ વર્ષે શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યા હતા, પરંતુ લોકડાઉન અને વરસાદને કારણે હવે નિશ્ચિત છે કે તેની શરૂઆત આવતા વર્ષે શરૂ થશે. તેમણે 'કેજીએફ ચેપ્ટર 2'ની રિલીઝ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, કેજીએફ 2ને વહેલી તકે રિલીઝ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, કારણ કે નિર્માતાઓ સ્પષ્ટ છે કે તેમને થિયેટરો ખોલવા માટે રાહ જોવી પડશે.
મિર્ઝાપુરની પહેલી સીઝન 16 નવેમ્બર 2018ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. દર્શકોએ આ સીરિઝને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે, જ્યારે વિવેચકોની તેના વિશે જુદા જુદા મંતવ્યો છે. કલાકારોના અભિનયની વાત કરીએ તો પંકજ ત્રિપાઠીની ઘણી પ્રશંસા થઈ છે. તે ભારતની સૌથી લોકપ્રિય વેબ સીરિઝ બની ગઈ છે. મિર્ઝાપુરની બીજી સીઝન 23 ઓક્ટોબર 2020એ રિલીઝ થઈ હતી.
તમને જણાવી દઈએ કે, મિર્ઝાપુર વેબ સીરિઝ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પર આધારિત કહાની છે. વેબ સીરિઝનો દરેક એપિસોડ રોમાંચથી ભરપુર છે. મિર્ઝાપુરની પહેલી સિઝનમાં અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, દેવ્યંદૂ શર્મા અને વિક્રાંત મેસીની સાથે-સાથે એક્ટિંગ અને ડાયલોગ્સે લોકોને પાગલ કરી દીધા છે. હવે મિર્ઝાપુર સિઝન 3 વેબ સીરિઝ જોવા માટે દરેક ચાહકો ઉત્સાહિત છે.