દુનિયામાં આજે પણ અનેક એવી ચમત્કારી ચીજવસ્તુઓ હાજર છે. જેનાં વિશે લોકોએ વાર્તા-કહાનીઓમાં સાંભળેલ છે. આવો જ એક ચમત્કારી પથ્થર છે પારસ પથ્થર. જેને વિશે આપે અનેક વાર્તાઓ સાંભળી હશે, પરંતુ આજ સુધી આપ એવો કોઇ જ પથ્થર નથી શોધી શક્યાં. ત્યારે આપ એ જાણીને હેરાન થઇ જશો કે એક કિલ્લામાં આવો પથ્થર હોવાનો પણ દાવો છે. એ જ કારણ છે કે દર વર્ષે કિલ્લામાં લોકો ખુદાઇ કરવા પહોંચી જાય છે.
પારસ પથ્થરને વિશે કહેવામાં આવે છે કે આ જે પથ્થર છે કે જેને સાંભળતા જ લોખંડ પણ સોનાનું બની જાય છે. એવું માનવામાં આવે છે કે, ભોપાલથી 50 કિમી દૂર રાયસેનનાં કિલ્લામાં પથ્થર હાજર છે. કહેવામાં આવે છે કે, આ કિલ્લાનાં રાજા પાસે પારસ પથ્થર હાજર હતો.
કહેવામાં આવે છે કે આ પથ્થર માટે અનેક વખત યુદ્ધ થયાં પરંતુ જ્યારે આ કિલ્લાનાં રાજાને લાગ્યું કે, તેઓ યુદ્ધ હારી જશે તો તેઓએ આ પારસ પથ્થરને કિલ્લામાં ઉપલબ્ધ તળાવની અંદર ફેંકી દીધો છે. રાજાએ એ કોઇને નથી જણાવ્યું કે, પારસ પથ્થરને ક્યાં છુપાવ્યો છે. બાદમાં યુદ્ધ દરમ્યાન તેમનું મૃત્યુ થઇ ગયું અને જોતજોતામાં આ કિલ્લા પણ વીરાન થઇ ગયા.
અનેક રાજાઓએ કિલ્લાને ખોદાવીને આ પારસ પથ્થરને શોધવાની કોશિશ કરી પરંતુ તેઓને સફળતા નથી મળી. આજે પણ લોકો અહીં રાત્રીનાં સમયે પારસ પથ્થરની તપાસમાં તાંત્રિકોને પોતાની સાથે લઇને જાય છે પરંતુ ત્યાં લોકોને નિરાશા જ સાંપડે છે.
આ કિલ્લો અને પારસ પથ્થરને લઇને એવી પણ વાર્તા પ્રચલિત છે કે તે પથ્થરને શોધવા આવનારા અનેક લોકો પોતાનું માનસિક સંતુલન ખોઇ ચૂક્યાં છે કેમ કે પારસ પથ્થરની રક્ષા એક જિન્ન કરે છે. જો કે, પુરાતત્વ વિભાગને હજી સુધી એવો કોઇ પણ પ્રકારનો પુરાવો હાથ નથી લાગ્યો, જેનાંથી માલુમ થાય કે આ પથ્થર આ કિલ્લામાં જ હાજર છે. પરંતુ કેટલીક પ્રચલિત વાર્તાઓનો કારણથી લોકો ચોરી છિપેથી અહીં પારસ પથ્થરની તપાસમાં પહોંચે છે.