મહાશક્તિશાળી બજરંગબલી હનુમાનની શક્તિના અનેક કિસ્સા જાણીતા છે. તો જાણો હનુમાનજીના પરાક્રમથી કઈ રીતે ઓરિસ્સામાં સમુદ્રના અવાજને જગન્નાથ મંદિરમાં અંદર આવવાથી રોક્યો.
જગન્નાથ મંદિરમાં નથી આવતો સમુદ્રનો અવાજ
પ્રભૂની ઊંઘમાં થતી ખલેલને રોકવા બજરંગબલીએ કર્યું ખાસ કામ
સમુદ્રના અવાજની સાથે જોડાયેલી છે ખાસ કથા
ચારધામમાંના એક ઓરિસ્સાના જગન્નાથ મંદિરને આખી દુનિયામાં જાણીતું માનવામાં આવે છે. તેને રાજા ઈન્દ્રયુમ્નને હનુમાનજીની પ્રેરણાથી બનાવાયું છે. કહેવાય છે કે આ મંદિરની રક્ષાની જવાબદારી પ્રભુ જગન્નાથે હનુમાનજીને આપી છે. આ રીતે હનુમાનજીને સમુદ્રના અવાજને મંદિરની અંદર આવતા રોક્યો હતો. આ ખરેખર ચમત્કાર છે કે લહેરો કેટલી પણ ઉંચી કેમ ન હોય કે વિનાશક પણ કેમ ન હોય, સમુદ્રના નજીક હોવા છતાં પણ મંદિરની અંદર તેની લહેરોનો અવાજ આવતો નથી.
પ્રભુ જગન્નાથને સૂવા ન હતો દેતો સમુદ્રનો અવાજ
સમુદ્રના અવાજ મંદિરમાં આવવા ન દેવા પાછળ પણ એક કથા છે. કહેવાય છે કે એક વાર નારદજી ભગવાન જગન્નાથના દર્શનને માટે આવ્યા તો દ્વાર પર ઊભેલા હનુમાનજીએ કહ્યું કે પ્રભુ વિશ્રામ કરી રહ્યા છે. નારદજી બહાર ઊભા રહ્યા અને રાહ જોવા લાગ્યા. થોડા સમય બાદ મંદિરની અંદર ઝાંક્યું તો પ્રભુ જગન્નાથ શ્રી લક્ષ્મીની સાથે ઉદાસ બેઠા હતા. તેઓએ પ્રભૂને તેનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે આ સમુદ્રનો અવાજ સૂવા દેતો નથી.
સમુદ્રને પાછળ હટવા માટે કહ્યું
નારદજીએ જ્યારે ભગવાનની વિશ્રામમાં આવી રહેલી ખલેલની વાત હનુમાનજીને કહી તો તેઓ ક્રોધિત થયા અને સમુદ્રને કહ્યું કે તમે અહીંથી દૂર જઈને તમારો અવાજ રોકી લો. અહીં સમુદ્ર દેવ પ્રકટ થયા અને સાથે કહ્યું કે હે મહાવીર હનુમાન, આ અવાજ રોકવાનું મારા હાથમાં નથી. હવા ચાલવાના કારણે આ અવાજ આવે છે. તો તમે તમારા પિતાને વિનંતી કરો. હનુમાનજીએ પિતા પવન દેવને કહ્યું કે તમે મંદિરની દિશામાં ન વહો. પિતાએ આ વાતને અસંભવ કહી અને સુઝાવ આપ્યો કે મંદિરની પાસે એક ગોળાકાર બનાવી દેવામાં આવે જેથી તેની અંદર અવાજ ન આવે.
એક ખાસ જગ્યાએ બંધ થઈ જાય છે અવાજ
હનુમાનજીએ પિતાનું સૂચન માનીને મંદિરની ચારે તરફ વાયુથી એક એવું ચર્ક બનાવ્યું કે સમુદ્રનો અવાજ મંદિરની અંદર જઈ શકતો નથી અને ભગવાન જગન્નાથ આરામથી વિશ્રામ કરે છે. આ ચમત્કારિક મંદિરના સિંહદ્વારમાં પહેલું પગલું રાખતા જ સમુદ્રનો અવાજ આવવાનું બંધ થઈ જાય છે પણ એક કદમ પાછળ ખસતા જ અવાજ આવવા લાગે છે.