દેહરાદૂનના ટપકેશ્વર મંદિરનો ઈતિહાસ સાડા 6 હજાર વર્ષ જૂનો છે. જાણો આ અદ્ભુત મંદિર વિશે.....
માન્યતા છે કે જ્યારે દેવતા લોકો સુખ-શાંતિ અને શિવ ભગવાનના ધ્યાન માટે બેઠા હતા. એ જોઈને ભગવાન શિવે અહીંયાજ જમીનમાંથી નિકળીને દર્શન આપ્યા હતા.
ગુફામાં આજે પણ સ્વાભાવિક રૂપથી પાણી ટપકતુ રહે છે. ભગવાન શિવનો ચમત્કાર જોવા માટે આજે પણ દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે.
મદિરના પૂજારી સ્વામી રાજ પાલ ગિરીએ જણાવ્યુ કે મંદિરમાં સવારે ચાર વાગ્યે ભોલે બાબાનું પંચામૃતથી અભિષેક થાય છે અને ત્યાર બાદ શ્રદ્ધાળુઓ માટે કપાટ 9 વાગ્યા સુઘી ખોલી દેવામાં આવે છે.