શાહરુખ ખાનના મીર ફાઉન્ડેશને મુઝફ્ફરનગર રેલવે સ્ટેશન પર મૃત માતા સાથે રમતા બાળકના વાયરસ થયેલા વીડિયો બાદ શ્રમિકા બાળકને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે, શાહરુખ ખાન અને તેના મીર ફાઉન્ડેશને બાળકને આર્થિક રીતે મદદ કરી હતી. જેની દેખભાળ હાલ તેના બા-દાદા રાખી રહ્યા છે.
મીર ફાઉન્ડેશને મુઝફ્ફરનગર સ્ટેશન પર મૃત માતાને જગાડવાના પ્રયાસ કરતા બાળકને કરી મદદ
સોશિયલ મીડિયા પર થયો હતો વાયરલ
મીર ફાઉન્ડેશને પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, મીર ફાઉન્ડેશન તે તમામ લોકોનું આભારી છે જેમણે આ બાળક સુધી પહોંચવામાં અમારી મદદ કરી જે પોતાની મૃત માતાને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વીડિયો ખૂબ જ હ્ર્દયદ્રાવક હતો. આ બાળકની અમે મદદ કરી રહ્યા છીએ જેની સાર-સંભાળ તેના બા-દાદા રાખી રહ્યા છે.
શાહરૂખ ખાને રિટ્વીટ કર્યું
શાહરૂખ ખાને પણ મીર ફાઉન્ડેશનના આ ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું હતું કે, આપ સૌનો આભાર જેમણે અમને આ બાળક સુધી પહોંચવામાં મદદ કરી. અમે તમામ પ્રાર્થના કરીએ છીએ કે બાળક પોતાની માતાને ગુમાવ્યા બાદ જીવન જીવવાની તાકાત શોધી લેશે. હું સમજી શકું છું કે, માવતરને ગુમાવવાનું દર્દ શું હોય છે. અમારો પ્રેમ અને સમર્થન તારા માટે છે દીકરા.
Thank you all for getting us in touch with the little one. We all pray he finds strength to deal with the most unfortunate loss of a parent. I know how it feels...Our love and support is with you baby. https://t.co/2Z8aHXzRjb
ભીષણ ગરમી અને ભૂખથી બેહાલ થયેલી એક મહિલાએ રેલવે સ્ટેશન પર જ દમ તોડ્યો હતો અને તેનું નાનું બાળક તેની માતા પર ઓઢાડવામાં આવેલ કફન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ઘટના જોનારની આંખોમાં આંસુ છલકાઇ ઉઠ્યા હતા. મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે, ટ્રેનમાં કાઇ ખાવા-પીવાનું નહીં મળતા આ મહિલાની તબિયત ખરાબ થઇ હતી. તેણી 25 મેના રોજ ગુજરાતથી ટ્રેનમાં સવાર થઇને 27 તારીખે મુજફ્ફરપુર આવી પહોંચી અને થોડા જ સમયગાળામાં સ્ટેશન પર જ તેનું મોત નિપજ્યું હતું. જો કે, સમગ્ર ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.