દાહોદનાં ચેડીયા ગામનાં સગીર અને સગીરા ઘરેથી ફરાર થઈ ગયા હતા. સગીર વિરૂદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. ત્યારે રાત્રીનાં સુમારે બંને પ્રેમી પંખીડા ફરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ મથકમાંથી પ્રેમી પંખીડા ફરાર
પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી
સગીર અને સગીરા ઘરેથી થયા હતા ફરાર
દાહોદનાં લીમખેડા પોલીસ મથકમાંથી પ્રેમી પંખીડા ફરાર થઈ જવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ફરજ પરનાં કર્મીને રાતે ઝોકું આવતા બંને પ્રેમી પંખીડા ફરાર થઈ ગયા હતા. ત્યારે પ્રેમી પંખીડા ચેડીયા ગામના સગીર અને સગીરા ઘરેથી ફરાર થઈ ગયા હતા. તે સમયે સગીરાના પિતાએ સગીર સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ફરિયાદનાં આધારે બંનેને ઝડપી પાડ્યા હતા. અને તેઓને પૂછપરછ માટે લીમખેડા પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. સગીર વિરૂદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસ વધુ એક ગુનો નોંધી પ્રેમી પંખીડાઓની તપાસ હાથ ધરી છે.