બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે ત્યારે બીજી તરફ સુશાંતના ઘણાં ફેન્સને તેની મોતનો ઘેરો આઘાત લાગ્યો છે. તેની અસર સમાજના યુવાનો પર જોવા મળી રહી છે. તો હવે સુશાંતની આત્મહત્યાથી દુઃખી છત્તીસગઢના ભિલાઈની એક 13 વર્ષની વિદ્યાર્થિનીએ સુસાઈડ કરી લીધું હોવાના સમાચાર સામે આવ્યા છે.
સુશાંતના મોતથી યુવાનો પર પડી રહી છે અસર
હવે સુશાંતની આત્મહત્યાથી દુઃખી એક 13 વર્ષની વિદ્યાર્થિનીએ સુસાઈડ કરી લીધું
આ વિદ્યાર્થિનીએ પહેલાં સુશાંતની ફિલ્મ જોઈ અને પછી આ પગલું ભર્યું
એક રિપોર્ટ પ્રમાણે આ છોકરીએ આત્મહત્યા પહેલાં સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તે સુશાંતના મોતથી દુઃખી હતી. તેના ફેવરિટ એક્ટરનું આ રીતે જતું રહેવું તેને ગમી નહોતું રહ્યું. જેના કારણે તે આ પગલું ભરી રહી છે. ભિલાઈ નગર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સુસાઈડ કરનારી આ છોકરીનું નામ જે. એન્જેલા છે અને તે 7મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. સુસાઈડ કર્યાના થોડા સમય પહેલાં જ તેણે સુશાંતની ફિલ્મ છિછોરે જોઈ હતી.
આ પહેલાં આંધ્રપ્રદેશની એક 21 વર્ષીય યુવતીએ સુસાઈડ કર્યું હોવાના સમાચાર આવ્યા હતા. તે સુશાંતની મોતથી ખૂબ જ દુઃખી હતી. ભિલાઈ મામલાની વાત કરીએ તો એન્જેલા 3 ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી. તેના પિતા એસ. સતીશ રાયપુર સ્થિત એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. સવારે જ તેમણે પત્ની અને બંને બાળકોને નાનાના ઘરે મૂકીને આવ્યા હતા.
આ ઘટના સમયે વિદ્યાર્થિની ઘરે એકલી હતી. હકીકતમાં બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે ટીવી પર ફિલ્મ છિછોરે ચાલી રહી હતી. એન્જેલા આનંદિત મનથી ફિલ્મ જોઈ રહી હતી. એ સમયે તેના પિતા પણ ઘરે જ હતા. આ દરમિયાન તેના પિતા સતીશને બજાર જવું પડ્યું. ત્યાંથી પાછા આવ્યા તો એન્જેલાએ દરવાજો ખોલ્યો નહીં તો તેઓ પાછળથી કૂદીને ઘરમાં આવ્યા.
પોલીસ કરી રહી છે તપાસ
એન્જેલાના પિતા ઘરમાં અંદર ગયા તો જોયું કે તેમની દીકરીએ ફાંસો ખાઈ લીધો હતો. ત્યારે પણ ટીવી પર સુશાંતની ફિલ્મ ચાલી રહી હતી. સતીશ અંદર ગયો પછી દીકરીને નીચે ઉતારી અને હોસ્પિટલ લઈ ગયો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.