ઉત્તરપ્રદેશના ગોંડામાં આસારામના આશ્રમમાંથી એક સગીરાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. આ સગીરા ત્રણ દિવસથી ગુમ હતી.
UPના ગોંડામાં આસારામના આશ્રમમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
5 એપ્રિલથી આ સગીરા લાપતા હતી
પોલીસે ઘટનાસ્થળે પહોંચતા આશ્રમ સીલ કર્યો
ઉત્તરપ્રદેશના ગોંડામાં આવેલા આસારામના આશ્રમમાંથી અલ્ટો કારમાંથી એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે. જેની ઉંમર 13થી 14 વર્ષની આસપાસ હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે, આ અંગેની માહિતી મળતા જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
મળતી માહિતી મુજબ, આ ઘટના કોતવાલી વિસ્તારના વિમૌરની છે. જ્યાં આસારામનો આશ્રમ આવેલો છે. આ સગીરા 5 એપ્રિલથી ગુમ હતી. ત્યારે 4 દિવસ બાદ એકાએક તેનો મૃતદેહ આસારામના આશ્રમમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ, કારમાંથી દુર્ગંધ આવતાં પોલીસને આ ઘટનાની જાણ કરાઇ હતી. ત્યાર બાદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામુ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.
પોલીસના જણાવ્યાં અનુસાર, કારની અંદરથી દુર્ગંધ આવતાં આશ્રમના ચોકીદારે કાર ખોલી તો અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ તેણે પોલીસને જાણ કરી હતી. મૃતદેહ મળ્યા બાદ પોલીસ અને ફોરેન્સિકની ટીમ હાલમાં આશ્રમ અને વાહનની તપાસ કરી રહી છે.
પોલીસે કાર સિવાય આખાય આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો પ્રયાસ હોવાનું જણાય છે.
ગુજરાતમાં પણ મળી આવ્યા હતા 2 વિદ્યાર્થીઓના મૃતદેહ
આસારામના આશ્રમમાંથી મૃતદેહ મળવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જણાવી દઈએ કે, 2008 માં ગુજરાતમાં આસારામના આશ્રમ 'ગુરુકુળ' માં રહસ્યમય સંજોગોમાં 2 લોકો ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ 5 જુલાઈના રોજ સાબરમતી નદીના કિનારેથી વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતાં.
છિંદવાડા આશ્રમમાંથી પણ મળી આવ્યો હતો મૃતદેહ
ગુજરાત બાદ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં સ્થિત ગુરુકુલ આશ્રમમાં પણ એક બાળકના મોતનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના વર્ષ 2008 માં ઘટી હતી. આશ્રમના ટોયલેટમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, વિદ્યાર્થીના મોતનું કારણ બાથરૂમમાં પડી જવાથી હોવાનું જણાવાયું હતું.
પિતા અને પુત્ર પર બળાત્કારનો આરોપ
બીજી તરફ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર સુરતમાં રહેતી બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેમાં મોટી બહેને આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો જ્યારે નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં આસારામ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જો કે આ કેસની સુનાવણી લાંબા સમયથી ચાલી રહી ન હતી.
બળાત્કાર માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો
આસારામને કોર્ટ દ્વારા 2013માં તેના આશ્રમની એક છોકરી પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. યુવતી સગીર હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. તે 2013થી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને 2018માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામે ઘણી વખત જામીન માટે અરજી કરી છે, પરંતુ દરેક વખતે તેમના પ્રયાસો નિષ્ફળ ગયા છે.
પિતા અને પુત્ર પર લાગ્યો હતો બળાત્કારનો આરોપ
બીજી તરફ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર સુરતમાં રહેતી બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેમાં મોટી બહેને આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો જ્યારે નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં આસારામ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જો કે ઘણા લાંબા સમયથી આ કેસની સુનાવણી ન હોતી ચાલી રહી.
બળાત્કાર માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો
આસારામને કોર્ટ દ્વારા 2013 માં તેના આશ્રમની જ એક છોકરી પર જ બળાત્કાર માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. યુવતી સગીર હતી. યુવતીએ એવો આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ 2013 ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મણાઈ વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં બોલાવી હતી અને ત્યાં તેની સાથે આસારામે બળાત્કાર કર્યો હતો. ત્યારે 2013 થી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામને 2018 માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામે ઘણી વખત જામીન માટે અરજી પણ કરી છે, પરંતુ દરેક વખતે આસારામના પ્રયાસો નિષ્ફળ ગયા છે.