ટ્રાફિકના નિયમમાં આવેલા ફેરફાર અનુસાર હવે ટ્રાફિકના નિયમ તોડવા માટે ડ્રાઈવિંગ લાયસન્સ કેન્સલ નહીં થાય પણ ડ્રાઈવરને દંડ કરવામાં આવશે.
બદલાયો ટ્રાફિકનો નિયમ
હવે ટ્રાફિક નિયમ તોડવા માટે લાયસન્સ કેન્સલ નહીં કરાય
ડ્રાઈવરને કરવામાં આવશે દંડ
કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારની સાથે વાહનચાલકોને મોટી રાહત મળી છે. જો હવે તમે ટ્રાફિકના નિયમને તોડો છો તો વાહન ચાલકનું લાયસન્સ રદ્દ થશે નહીં. એટલે કે પોલિસ ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરી શકશે નહીં. નવા ટ્રાફિક નિયમ અનુસાર રૂલ્સ તોડવા માટે ફક્ત દંડ ભરવાનો રહેશે.
હાલમાં આ છે નિયમ
અત્યાર સુધી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ યાતાયાતના નિયમ તોડવા માટે દંડના સિવાય ડ્રાઈવિંગ લાયસન્સને 3 મહિના માટે ઈનબોઉન્ડ કરવાનો પણ નિયમ છે. આનો અર્થ એ છે કે જો તમે ટ્રાફિકના નિયમ તોડો છો તો ટ્રાફિક પોલીસ તમારું લાયસન્સ જપ્ત કરીને સંબંધિત કાર્યાલયમાં જમા કરાવી દેતી હતી. 3 મહિના બાદ તમને આ લાયસન્સ પરત આપવામાં આવતું હતું.
આ લોકોને થકી હતી સૌથી વધુ મુશ્કેલી
3 મહિના સુધી લાયસન્સ જપ્ત ખવાના કારમએ સૌથી વધુ તકલીફ એ ડ્રાઈવર્સને રહેતી હતી જેઓ કોઈ અન્ય સ્ટેટમાં જઈને આવન જાવન સમયે ટ્રાફિકના રૂલ્સ તોડતા હતા. આ કેસમાં પોલિસ દંડની સાથે સાથે ડ્રાઈવરનું લાયસન્સ તે રાજ્ય કે પછી તે શહેરમાં ઈનબોઉન્ડ કરી લેતી હતી. આ પછી ડ્રાઈવરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સાથે 3 મહિના બાદ તે શહેરમાં લાયસન્સ લેવા ફરીથી જવું પડતું. હવે આ પ્રકારના ડ્રાઈવર્સને નવા નિયમથી રાહત મળશે.