રેલવે મંત્રાલયે 50 રેલવે સ્ટેશનો અને 150 ટ્રેનોના ખાનગીકરણ માટે એક કમિટી બનાવી છે. આ કમિટીમાં નીતિ આયોગના સીઇઓ, રેલવે બોર્ડના ચેરમેન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેયર્સના સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સના સેક્રેટરી અને ફાઇનાન્શિયલ કમિશનર (રેલવે) સામેલ છે.
રેલવે મંત્રાલયે 50 રેલવે સ્ટેશનો અને 150 ટ્રેનોના ખાનગીકરણ માટે એક કમિટી બનાવી
ખાનગીકરણને લઇને નીતિ આયોગે રેલવે બોર્ડના ચેરમેનને એક પત્ર લખ્યો
અમિતાભ કાન્તે કહ્યું -રેલવે સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવા રેલ મંત્રી સાથે ચર્ચા કરાઇ
આ પહેલા બુધવારે સમાચાર આવ્યા હતા કે રેલવે 150 ટ્રેનોનું સંચાલન પ્રાઇવેટ કંપનીઓને આપવાની તૈયારીમાં છે. આ વિશે રેલ મંત્રાલયે નિર્ણય લઇ લીધો છે.
નીતિ આયોગે લખ્યો પત્ર
ખાનગીકરણને લઇને નીતિ આયોગે રેલવે બોર્ડના ચેરમેનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં 400 રેલવે સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવાને લઇને ઉલ્લેખ કરાયો છે. તેમા કહેવામાં આવ્યું છે કે ઘણા વર્ષ એવી વાત કહેવામાં આવતી રહી છે પરંતુ એક અથવા બે સ્ટેશનોને છોડીને ક્યાંય પણ તેના પર અમલ નથી કરાયો.
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાન્તે રેલવે બોર્ડ ચેરમેનને લખેલા પત્રમાં કહ્યું છે કે રેલવે સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવાના કામને લઇને રેલ મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમા આ વાત સામે આવી છે કે 50 સ્ટેશનોને પસંદગીના આધારે વિશ્વ સ્તરના બનાવવામાં આવે અને આ કામમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવામાં આવે.
નોંધનીય છે કે, નીતિ આયોગના સીઇઓએ હાલમાં જ 6 એયરપોર્ટના ખાનગીકરણના અનુભવ વિશે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ પ્રકારનું કામ રેલવે માટે પણ કરવામાં આવી શકે છે. આ આધાર પર એમણે ટ્રેનોના ખાનગીકરણ માટે એક ઇમ્પાવર્ડ ગ્રુપ ઓફ સેક્રેટ્રીઝ બનાવવાની ભલામણ કરી હતી.