વિધુત મંત્રાલયે રાજ્યો દ્વારા કેન્દ્રીય ઉત્પાદન સ્ટેશનોની ફાળવણી વીજળી ઉપયોગ પર દિશા નિર્દેશ જારી કર્યા છે.
વિધુત મંત્રાલયે વીજળી ઉપયોગ પર દિશા નિર્દેશ જારી કર્યા
ફળવાયેલી વીજળી સિડ્યૂલ નહીં કરવા પર કાર્યવાહી
દિલ્હીમાં વીજળી સપ્લાયની સ્થિતિ
વિધુત મંત્રાલયે વીજળી ઉપયોગ પર દિશા નિર્દેશ જારી કર્યા
વિધુત મંત્રાલયે રાજ્યોને વીજળી સપ્લાય માટે ફાળવવામાં આવેલી વીજળીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. આ સાથે જ સરપ્લસ પાવરના મામલામાં
રાજ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે. તે સૂચિત કરે જેથી તેનો ઉપયોગ જરુરીયાતમંદ રાજ્યોને ફાળવી શકાય.
ફળવાયેલી વીજળી સિડ્યૂલ નહીં કરવા પર કાર્યવાહી
જો કોઈ રાજ્ય પાવર એક્સચેન્જમાં વીજળી વેચતા જોવા મળે છે અથવા આ ફાળવેલી વીજળી સિડ્યૂઅલ નથી કરી રહ્યા તો તેમને ફળવાયેલી વીજળી અસ્થાયી રુપથી ઓછી અથવા પાછી લઈ શકાય છે. તેવી વીજળી અન્ય રાજ્યોને પુનઃ ફાળવણી કરી શકાય છે. જેને આવી વીજળીની જરુર હશે.
દિલ્હીમાં વીજળી સપ્લાયની સ્થિતિ
આ સાથે જ વિધુત મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વીજળી સપ્લાયની સ્થિતિની પણ જાણકારી આપી છે અને જણાવ્યું છે કે 10 ઓક્ટોબર 21એ દિલ્હીની વધારે માંગ 4536 મેગાવોટ અને 96.2 એમયૂ હતી. વીજળીની અછતના કારણે કોઈ આઉટેદ નહોંતો. કેમ કે જરુરિયાતના માત્રામાં વીજળીના સપ્લાયની માંગ કરવામાં આવી હતી.
વિતરણ કંપનીઓ માટે ઉર્જા લેખાંકન અનિવાર્ય
વીજળી મંત્રાલયે કહ્યું કે તેમણે વીજળીને નુકસાનને ઓછું કરવા માટે વિતરણ કંપનીઓને ઉર્જા લેખાંકનને અનિવાર્ય કરી દીધું છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે વીજળી ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારા અંતર્ગત વીજળી મંત્રાલયે વિતરણ કંપનીઓ માટે નિયમિત રુપથી ઉર્જા લેખાંકનને અનિવાર્ય કરી દીધા છે. આ અંતર્ગત જારી અધિસૂચનામાં 60 દિવસના ભીતર પ્રમાણિક ઊર્જા પ્રબંધકના માધ્યમથી ડિસ્કોમના તિમાહી ઉર્જા લેખાંકન કરાવવાનું રહેશે. એક સ્વતંત્ર માન્યતા પ્રાપ્ત ઉર્જા જારી પરીક્ષક દ્વારા વાર્ષિક ઉર્જા પરીક્ષા પણ થશે. આ બન્ને રિપોર્ટોના સાર્વજનિક રુપથી પ્રકાશિત કરવામાં આવશે. આ વ્યવસ્થાથી વીજળીને નુકસાન ચોરીને રોકવામાં મદદ મળશે.