શ્રમ મંત્રાલયે નવી ગાઇડલાન્સ જાહેર કરી છે. જેના પર શ્રમ મંત્રાલયથી સંબંધિત DGHS એટલે કે Directorate General of Health Servicesએ સેફ વર્કપ્લેસ માટે નવી ગાઇલાઇન્સ તૈયાર કરી છે.
નોકરિયાતો માટે મોટા સમાચાર
સરકારે જારી કર્યા નવા નિયમ
ન માનવા પર રોકાય જશે અપ્રેઝલ
આ નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને કંપનીના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. તેમાં CCTV દ્વારા કર્મચારીઓ પર નજર રાખવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. અને જો આ સૂચનાઓનું પાલન ન થયું તો અપ્રેઝલ પર પણ રોક લાગી શકે છે.
આ ગાઈડલાઈન્સમાં ખાનગી કંપનીઓને નિર્દેશ આપતા કહેવામાં આવ્યું છે કે ઇન્ડસ્ટ્રી HR પોલીસીમાં પણ બદલાવ કરે. તમામ કર્મચારીઓ માટે હેલ્થ વીમો જરૂરી કરવામાં આવે. કોરોના માટે કંપનીઓ Special Leave Policy બનાવે. કંપની આ માટે નજીકની હોસ્પિટલથી ટાઈ-અપ કરે. કર્મચારી ખાનગી વાહન કે સાઇકલનો ઉપયોગ કરે.
વધુમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારી સીડીનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે. લિફ્ટમાં એક સમયે 2 થી 5 લોકોથી વધુને પરવાનગી ન આપવી જોઇએ. સાથે જ એવું પણકહેવામાં આવ્યું છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના માતા-પિતામાંથી જો બંને વર્કિંગ છે તો તેમને ઘરેથી કામ કરવાની છૂટ મળવી જોઇએ. એટલું જ નહીં 65 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઓફિસમાં પર્યાપ્ત માત્રામાં હેન્ડ સેનેટાઇઝર (જેમાં સ્પર્શની જરૂર ન પડે) અને થર્મલ સ્ક્રીનિંગ જરૂરી છે. જે કર્મચારીઓને પિક એન્ડ ડ્રોપની સુવિધા આપવામાં આવી છે. તેમાં એસી બસ અથવા બીજા મોટા વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવે જે આકારમાં મોટા હોય અને કુલક્ષમતાની તુલનામાં માત્ર 30-40 ટકા કર્મચારીઓને જ બેસાડવામાં આવે. પૂરી બસને ન ભરવામાં આવે.