ગૃહ મંત્રાલયે મહામારીને જોતા મે મહિના માટે જારી કર્યા નવા દિશા નિર્દેશમાં દેશમાં ક્યાંય પણ લોકડાઉન લગાવવા વિશે કંઈ જ નથી કહ્યું.
જો કોવિડ 19 સંક્રમણનો દર 10 ટકાથી વધારે છે તો તેને કેન્ટોલમેન્ટ ઝોન બનાવો
આ જિલ્લામાં કેન્ટોલમેન્ટ ઝોન બનાવવા પર વિચાર કરી શકાય - ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયનો આદેશ 31 મે સુધી અમલમાં રહેશે.
આ જિલ્લામાં કેન્ટોલમેન્ટ ઝોન બનાવવા પર વિચાર કરી શકાય
મંત્રાવલયે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યુ કે તે જિલ્લાની ઓળખ કરે જ્યાં કોવિડ 19 સંક્રમણનો દર 10 ટકાથી વધારે છે અથવા જ્યાં ગત એક અઠવાડિયામાં બેડ ભરાવાનો દર 60 ટકાથી વધારે છે. ગૃહ મંત્રાલયે કહ્યુ કે આમાંથી કોઈ પણ માપદંડને પુરા કરનારા જિલ્લામાં કેન્ટોલમેન્ટ ઝોન બનાવવા પર વિચાર કરી શકાય છે. ગૃહ મંત્રાલયના આદેશની સાથે સામુદાયિક નિરુદ્ધ વિસ્તાર અને મોટા નિરુદ્ધ વિસ્તાર જેવા વિસ્તાર બનાવવાની રુપરેખા લાગૂ કરવા માટ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહને પણ જોડવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય દિશા નિર્દેશ સમગ્ર દેશમાં કડકાઈ પૂર્વર લાગૂ રહેશે. ગૃહ મંત્રાલયનો આદેશ 31 મે સુધી અમલમાં રહેશે.
દેશની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યુ કે દેશમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના સંક્રમણના 386,888 મામલા નોંધાયા છે. જે બાદ સંક્રમણના કુલ કેસ 1,87,54,984 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે.
ગૃહ મંત્રાલયે કહ્યુ કે ફેલાવાને રોકવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો રહેશે
ગૃહ મંત્રાલયે કહ્યુ કે મહામારીની હાલની લહેરને પહોંચી વળવા માટે તેના ફેલાવાને રોકવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો રહેશે, જે વિસ્તારોમાં સંક્રમણના મામલાની સંખ્યા વધારે તે જગ્યાઓ પર જરુરી સેવાઓને છોડીને રાતના સમયમાં લોકોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો છે.
આ છે ગાઈડ લાઈન
સામાજિક, રાજકીય , રમત, મનોરંજન, સાસ્કૃતિક, ધાર્મિક વગેરે કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ રહેશે. લગ્ન સમારોહમાં વધુમાં વધુ 50 લોકો જ્યારે અંતિમ સંસ્કારમાં 20 લોકો સામેલ થઈ શકે છે. સાર્વજનિક પરિવહન પોતાની 50 ટકા ક્ષમતાની સાથે ચાલાવવામાં આવી શકે છે.
ગૃહ મંત્રાલયે આપ્યા આ આદેશ
ગૃહ મંત્રાલયે રાજ્યોને સ્વાસ્થ્ય સંબંધી માળખાની સમીક્ષા કરવાનું કહ્યું છે જેથી વર્તમાન તથા આવનારા સમયમાં સંક્રમણના મામલા માટે મેનેજમેન્ટ કરી શકાય અને દર્દીઓને જરુરીયાત અનુસાર પુરતી સંખ્યામાં બેડ, ઓક્સિજન, આઈસીયુ બેડ, એમ્બ્યુલન્સ અને વેન્ટિલેટર્સ જેવી સુવિધા પુરી પાડી શકાય.