ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસને જોતાં ICMRએ હવે હોસ્પિટલમાં એડમિટ કરાયેલા દેશભરના દર્દીઓનું રજિસ્ટ્રેશન કરવાનો પણ નિર્ણય લીધો છે. આ રજિસ્ટ્રેશનની મદદથી સ્વસ્થ થયેલા દર્દીઓ અને મહામારીની ગતિને જાણી શકાશે. આ સાથે જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ICMR અને અખિલ ભારતીય સંસ્થાન ચિકિત્સા વિજ્ઞાન (AIIMS) એ રાષ્ટ્રીય સ્તરે આ કામ શરૂ કરવાનું સૂચન કર્યું છે. વાસ્તવિક સમયના આંકડાને એકઠા કરીને સારવારના પરિણામોમાં સુધારો, વૈશ્વિક મહામારીની વધતી પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરાય અને પ્રતિક્રિયાઓને તપાસી શકાશે.
કોરોના મહામારીમાં ICMRનો મોટો નિર્ણય
હોસ્પિટલમાં એડમિટ કોરોના પેશન્ટનું પણ થશે રજિસ્ટ્રેશન
કોરોનાની સારવારમાં આ પદ્ધતિ થશે મદદરૂપ
અધિકારીઓએ જણાવ્યું છે કે અનુસંધાનકર્તાઓ અને નીતિ નિર્માતાઓ કોવિડ 19ના રોગીની સારવાર માટે સારવારની પ્રભાવશીલતા, પ્રતિકૂળ પ્રભાવને સમજવા અને તેમાં સુધારો લાવવાની શક્ય કોશિશ કરી રહ્યા છે અને તેમાં આ પદ્ધતિ તેમને મદદ કરશે.
હોસ્પિટલથી મેળવવામાં આવશે આંકડા
ICMR, સ્વાસ્થ્ય મંત્રાલય અને એઈમ્સના સહયોગથી તૈયાર થનારી નેશનલ ક્લિનિક રજિસ્ટ્રીથી દર્દીની સાચી જાણકારીની સાથે જ ઉંમર વર્ગમાં સંક્રમણ અને અન્ય જાણકારી મળશે. તેમાં પીજીઆઈ ચંડીગઢ, એઈમ્સ દિલ્હી, એઈમ્સ જોધપુર, નિમહાન્સ બેંગલુરુ, આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજ પુણે સહિત 100 પ્રસિદ્ધ સંસ્થાઓને સામેલ કરાશએ. જે મેડિકલ કોલેજ અને હોસ્પિટલોના સંપર્કમાં રહીને આંકડા મેળવશે.
ICMRનું કહેવું છે કે ક્લિનિકલ પ્રયોગશાળા માપદંડના ડેટાની સાથે રોગીના પરિણામોને દેશભરમાં ભઆગ લેનારી સાઈટ દ્વારા એક ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર એક પ્રોફાર્મામમાં ભરશે. ડેટાને કેન્દ્રીય સર્વર ક્લાઉડ અને ઓનાલિસિસમાં સંગ્રહિત કરાશે.
ભવિષ્યમાં કામમાં આવશે ડેટા
તેઓએ કહ્યું કે આ ડેટાનો ઉપયોગ કોવિડ 19 રોગના અનેક માપદંડને માટે પરિકલ્પના કરવા માટે કરાશે અને રજિસ્ટ્રી મંચનો ઉપયોગ ભવિષ્યમાં અધ્યયન માટે કરાશે. વ્યક્તિગત સાઈટ દ્વારા નોંધાયેલો ડેટા કેન્દ્રીય સર્વર પર તેમને માટે મળી રહેશે. વિશ્લેષણ કરાયેલા ડેટાને દરેક સાઈટની સાથે સમયાંતરે શેર કરવામાં આવશે.