સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે બે દેશોથી આવનારા યાત્રીઓને માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા દિશા નિર્દેશના અનુસાર 8 ઓગસ્ટ રાતે 10.21 મિનિટથી તે લાગૂ કરવામાં આવશે. નવા નિયમમાં દરેક યાત્રીઓએ યાત્રાના 72 કલાક પહેલા http://newdelhiairport.in પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. મંત્રાલયને કહેવાયું છે કે પોર્ટલ પર પણ આ જાણકારી અપાઈ છે કે યાત્રીઓએ આવ્યા બાદ 14 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે. તેમાં 7 દિવસ સંસ્થાગત હશે જેનો ખર્ચ તેઓએ પોતે ભોગવવાનો રહેશે અને અન્ય 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. જ્યાં એપથી તમારા પર નજર રખાશે.
વિદેશથી આવનારા યાત્રીઓ માટે બદલાયા નિયમ
યાત્રાના 72 કલાક પહેલાં સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત
આવ્યા બાદ 14 દિવસ ક્વૉરન્ટાઈન થવું ફરજિયાત
સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ અનુસાર ફક્ત કોઈ મુશ્કેલી, પ્રેગનન્સી, પરિવારમાં કોઈનું મૃત્યુ, ગંભીર બીમારી કે પછી 10 વર્ષથી ઓછી ઉંમરના માતા પિતાને હોમ ક્વૉરન્ટાઈન કરવાની પરમિશન મળશે. પહોંચ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ સંસ્થાગત ક્વૉરન્ટાઈનથી રાહત મળશે. આ ટેસ્ટ યાત્રા પહેલાં 96 કલાકમાં કરાવવાનો રહેશે. યાત્રા પહેલાં યાત્રીને ટિકિટની સાથે સંબંધિત એજન્સીઓને ડૂએન્ડ ડોન્ટ્સનું એક લિસ્ટ આપશે. તેમામં જણાવાયું હશે કે યાત્રી યાત્રા કરી શકશે કે નહીં. આ સાથે દરેક યાત્રીના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું પણ સૂચન કરાયું છે.
They should also give an undertaking on the portal that they would undergo mandatory quarantine for 14 days i.e. 7 days paid institutional quarantine at their own cost, followed by 7 days isolation at home with self-monitoring of health: Ministry of Health and Family Welfare https://t.co/ATbjZ4VwgB
બોર્ડિંગ સમયે કોઈ લક્ષણ વિનાના દર્દીને સ્ક્રીનિંગ બાદ જવા દેવાશે.
સડક માર્ગે મુસાફરી કરનારાઓએ પણ આ નિયમોનું પાલન કરવાનું રહેશે.
બોર્ડિંગ સમયે પણ સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
યાત્રા સમયે જે લોકો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ નથી ભરતા તેમને ફ્લાઈટમાં ફોર્મ ભરવાનું રહેશે.
તેની એક કોપી હેલ્થ અને ઈમિગ્રેશન અધિકારીઓને પણ અપાશે.
ફ્લાઈટમાં માસ્ક પહેરવું, સફાઈ રાખવી અને હાથ સાફ રાખવા જરૂરી છે.
પહોંચ્યા બાદ આ નિયમનું કરવાનું રહેશે પાલન
તમારા નક્કી સ્થળે પહોંચ્યા બાદ સોશ્યિલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું રહેશે. એરપોર્ટ, સી પોર્ટ અને લેંડપોર્ટ પર સંબંધિત અધિકારીઓ સાથે થર્મલ સ્ક્રીનિંગ અનિવાર્ય રહેશે. લક્ષણ વાળા યાત્રાની તરત જ આઈસોલેશનમાં રહેવું પડશે અને તેના સ્વાસ્થ્ય સંબંધી મદદ આપવામાં આવશે. થર્મલ સ્ક્રીનિંગ બાદ જે લોકોને સંસ્થાગત ક્વૉરન્ટાઈનથી મુક્તિ અપાશે તેઓએ 14 દિવસ હોમ ક્વૉરન્ટાઈન પહેલાં પણ સંબંધિત રાજ્યના કાઉન્ટર પર તેને નોંધાવવાનું રહેશે.