કોરોના વાયરસને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર સંકટના વાદળ છવાઇ ગયા છે. 29 માર્ચથી IPL ની 13મી સિઝન શરૂ થવાની છે. હવે IPL ને લઇને વિદેશ મંત્રાલય તરફથી મહત્વનું નિવેદન આપવામાં આવ્યુ છે.
વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ''કોરોના વાયરસના પ્રભાવને કારણે આયોજકોએ નક્કી કરવાનું રહેશે કે તેમણે શું કરવું જોઇએ. અમારી સલાહ છે કે તેઓ આ સમયે આયોજન ના કરે, પરંતુ જો તેઓ આ આયોજન સાથે આગળ વધવા ઇચ્છે છે તો તેમનો નિર્ણય છે.''
કોરોના વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મહામારી (Pandemic) જાહેર કર્યા પછી વિશ્વભરના દરેક દેશો મોટી ઈવેન્ટ્સ ટાળી રહ્યા છે.પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ ખાલી રાખીને (મતલબ કે લાઈવ મેચ સ્થળ પર જોવાની સુવિધા ટાળીને) IPLની મેચ યોજી શકાય તેમ છે કે કેમ એ અંગે BCCI વિચારણા કરશે.
Ministry of External Affairs (MEA) on the effect of #coronavirus on IPL: I think it is for the organizers to decide whether to go ahead with it or not. Our advice would be to not do it at this time but if they want to go ahead, it is their decision. pic.twitter.com/qFlpsrxU0D
ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્રીય ખેલ મંત્રાલયે અગાઉ દેશભરના BCCI સહિતના દરેક ખેલ મહાસંઘોને સુચના આપેલી છે કે કોરોના વાયરસના ભયને લીધે કોઈપણ મોટી ટુર્નામેન્ટ રમાડવાની થાય તો ખાલી સ્ટેડિમયમાં જ તેનું આયોજન કરવું. સ્પોર્ટ્સ સેક્રેટરી રાધેશ્યામ જુલાનિયાએ પણ સત્તાવાર જાહેરાત કરી હતી કે ટાળી ન શકાય એવી ટુર્નામેન્ટમાં દર્શકોની હાજરી ન હોવી જોઈએ.
આ અંગે શનિવારે મુંબઈ ખાતે BCCIની બેઠક યોજાશે જેમાં IPL જો ટાળી શકાય તેમ ન હોય તો દર્શકો વગર રમાડવાની શક્યતા ચકાસવામાં આવશે. આ બેઠકમાં જ દરેક ટીમને મળનાર પુરસ્કારની રકમ પણ નક્કી થશે.