સંરક્ષણ મંત્રાલયે એક અગ્નિવીર ભરતી યોજના પર સ્પેશિયલ મીડિયા બ્રીફિંગ આપીને કેટલીક મહત્વની માહિતી આપી છે.
અગ્નિપથ ભરતી યોજના પર સંરક્ષણ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગ
ત્રણે પાંખના વડાઓએ જાહેર કરી માહિતી
શહીદ થનાર અગ્નિવીરના પરિવારને મળશે 1 કરોડની સહાય
અગ્નિવીરોને કાયમી સૈનિકોની જેમ મળશે ભથ્થાં
સેનામાં તેમની સાથે કોઈ ભેદભાવ નહીં કરાય
ભવિષ્યમાં અગ્નિવીરમાં ભરતીની સંખ્યા વધારીને 1.25 લાખ કરવામાં આવશે
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે અગ્નિવીર ભરતી યોજનાને લઈને મહત્વની માહિતી જાહેર કરી છે. રવિવારે આ યોજનાના સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલય હેઠળના ત્રણેય પાંખના વડાઓએ પ્રેસ કોન્ફરન્સમાં અગ્નિવીરોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મીડિયાને સંબોધતા મિલિટરી અફેર્સ વિભાગના લેફ.જનરલ અનિલ પુરીએ તમામ માહિતી આપી હતી. અનિલ પુરીએ કહ્યું કે સિયાચીન અને બીજા વિસ્તારોમાં કાર્યરત કાયમી સૈનિકો જેવા જ ભથ્થાં અગ્નિવીરોને પણ મળશે. તેમણે કહ્યું કે સેવામાં અગ્નિવીરોની સામે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં થાય.
શહીદ અગ્નિવીરોના પરિવારને મળશે 1 કરોડની સહાય
જનરલ પુરીએ કહ્યું કે સેવા દરમિયાન જો કોઈ અગ્નિવીર શહીદ થશે તો તેમના પરિવારને 1 કરોડની રકમ આપવામાં આવશે.
The 'Agniveers' would get the same allowance in areas like Siachen and other areas which are applicable to the regular soldiers serving at present. No discrimination against them in service conditions: Lt Gen Anil Puri on Agnipath scheme pic.twitter.com/2gdXEK5sgt
વિવિધ મંત્રાલયોની જાહેરાતો વિરોધ શાંત પાડવા માટે નથી કરાઈ
અનિલ પુરીએ કહ્યું કે વિવિધ મંત્રાલયો અગ્નિવીરો માટે જે જાહેરાતો કરી છે તે થઈ રહેલો વિરોધ શાંત પાડવા માટે નથી કરાઈ હકીકતમાં તેને પહેલેથી તૈયાર રખાઈ હતી જેની જાહેરાત હવે કરાઈ છે.
Around 17,600 people are taking premature retirement from the three Services every year. No one ever tried to ask them what they will do after retirement: Lt General Arun Puri, Additional Secy, Dept of Military Affairs pic.twitter.com/m4XdNJFeAe
નિવૃતી બાદ પણ અગ્નિવીરોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહેશે
પુરીએ એવું પણ કહ્યું કે શસસ્ત્ર દળોની એજ પ્રોફાઈલ (ઉંમર)ને ઘટાડવા માટે અમે આવા સુધારા લાવી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે દર વર્ષે સેવામાંથી 17,600 સૈનિકો નિવૃત થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે નિવૃતી બાદ પણ અગ્નિવીરોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહેશે.
Agniveer batch number 1 registration process to start from June 24 and from July 24, phase 1 online examination process would start. The first batch would be enrolled by December and training would commence by December 30: Air Marshal SK Jha pic.twitter.com/CNkDPoSaqu
24 જુનથી પહેલી બેચની ભરતી શરુ, 30 ડિસેમ્બર સુધીમાં તાલીમ સુધીમાં તાલીમ પૂર્ણ
એર માર્શલ એસકે ઝાએ એવું કહ્યું કે અગ્નિવીરની પહેલી બેચનું રજિસ્ટ્રેશન 24 જુનથી શરુ થઈને 24 જુલાઈ સુધી ચાલશે અને ત્યાર બાદ પહેલા તબક્કાની પરીક્ષા શરુ થશે. ડિસેમ્બર સુધીમાં પહેલી બેચની ભરતી થઈ જશે અને 30 ડિસેમ્બર સુધીમાં તાલીમ પૂર્ણ કરી દેવાશે.
21 નવેમ્બરથી પ્રથમ નૌકાદળ 'અગ્નિવીર INS ચિલ્કામાં પહોંચશે
વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે આ વર્ષે 21 નવેમ્બરથી, પ્રથમ નૌકાદળ 'અગ્નિવીર' તાલીમ સંસ્થાન INS ચિલ્કા, ઓડિશામાં પહોંચવાનું શરૂ કરશે. આ માટે સ્ત્રી અને પુરૂષ બંને અગ્નિવીરોને મંજૂરી છે.
Service conditions of 'Agniveers' will be on par with regular soldiers: Defence Ministry official
અગ્નિવીરોની સેનાની શરતો કાયમી સૈનિકો જેવી જ રહેશે
સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે અગ્નિવીરોની સેનાની શરતો કાયમી સૈનિકો જેવી જ રહેશે.
અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય
સેનાએ અગ્નિપથ યોજના પાછી ખેંચવાની સંભાવનાને નકારી કાઢી છે. સેનાએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય. સેનાએ પોતાના મહત્વપૂર્ણ નિવેદનમાં કહ્યું કે કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓને ભડકાવી રહી છે અને ભડકાવી રહી છે. અનિલ પુરીએ કહ્યું કે યુવાનોએ હિંસા અને પ્રદર્શનમાં ભાગ ન લેવો જોઈએ.
નેવીમાં મહિલા અગ્નિવીરો પણ તૈનાત થશે
ઈન્ડીયન નેવીમાં મહિલા અગ્નિવીરોની પણ તહેનાતી કરવામાં આવશે. નેવી દ્વારા એવું કહેવામાં આવ્યું કે 21 નવેમ્બર પહેલા નેવીના અગ્નિવીરોની બેચ આઈએનએસ ચિલ્કા ખાતે પહોંચવાનું શરુ થઈ જશે તેને માટે મહિલા અને પુરુષ બન્નેને મંજૂરી આપવામાં આવશે. વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અગ્નિપથ યોજના હેઠળ મહિલાઓની ભરતી થશે જેને વોરશીપ પણ તૈનાત કરવામાં આવશે.
24 જૂનથી એરફોર્સમાં, 25 જૂનથી નેવીમાં અને 1 જુલાઈથી આર્મીમાં અગ્નિવીરોની ભરતી શરૂ થશે
એડજ્યુટન્ટ જનરલ લેફ્ટિનેન્ટ જનરલ બંશી પુનપ્પાએ કહ્યું કે સેનામાં અગ્નિવીરોની ભરતી માટે 1 જુલાઇના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જે બાદ લોકો એપ્લિકેશન રજિસ્ટ્રેશન શરૂ કરી શકે છે. ભરતી માટેની પ્રથમ રેલી ઓગસ્ટના બીજા અઠવાડિયાથી શરૂ થશે. રેલીમાં ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ તપાસ થશે, ત્યાર બાદ પ્રવેશ પરીક્ષા થશે, ત્યારબાદ તેમને કોલમમાં મેરિટ પ્રમાણે મોકલવામાં આવશે. ઓગસ્ટથી નવેમ્બર સુધી 2 બેચમાં રેલી થશે. પહેલા લોટમાં 25,000 અગ્નિવીર હશે. આ લોકો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ ફેબ્રુઆરીમાં આવશે. દેશભરમાં કુલ 83 ભારતીય રેલીઓ થશે, જે દેશના દરેક રાજ્યના દરેક છેવાડાના ગામમાં યોજાશે. વાયુસેના 24 જૂનથી તેની પુન:સ્થાપના શરૂ કરશે, જ્યારે નૌકાદળને પુન:સ્થાપિત કરવા માટેનું જાહેરનામું 25 જૂને આવશે.
પ્રેસ કોન્ફન્સના મુખ્ય મુદ્દાઓ
સેનામાં સેવા બાદ અગ્નિવીર શું કરશે? આવા સવાલ કરતાં લોકોને સેનાનો જવાબ: દર વર્ષે સેનાની ત્રણ પાંખમાંથી 17,600 જવાન સમય પહેલા જ રિટાયર થઈ રહ્યા છે, તેમને તો કોઈએ નથી પૂછ્યું કે તે શું કરશે?
ભવિષ્યમાં અગ્નિવીરમાં ભરતીની સંખ્યા વધારીને 1.25 લાખ કરવામાં આવશે
જો અગ્નિવીરોની સામે કોઈ એફઆઈઆર દાખલ થઈ હશે તો તેઓ ભરતી નહીં થઈ શકે. તેમણે ભરતી સમયે લેખિતમાં આપવું પડશે કે તેઓ વિરોધ પ્રદર્શનનો ભાગ બન્યાં નહોતા. તેમનું પોલિસ વેરિફિકેશન પણ કરવામાં આવશે.
અનિલ પુરીએ કહ્યું- ત્રણેય સેના પ્રમુખો અને સીડીએસએ મળીને દુનિયાના તમામ દેશોની સેનાઓની સરેરાશ ઉંમર જોઈ. આપણને સેનામાં યુવાનોની જરૂર છે. આપણને પણ જુસ્સા સાથે ચેતનાની જરૂર છે.
સેનામાં પરિવર્તનની પ્રક્રિયા 1989થી ચાલી રહી છે. સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષ હતી, તેને ઘટાડીને 26 સુધી લાવવાનું અમારું લક્ષ્ય હતું.
જે દિવસે અગ્નિપથની જાહેરાત થઈ તે દિવસે બે જાહેરાત કરવામાં આવી, પહેલી જાહેરાત દેશભરમાં 10.5 લાખ નોકરીઓ અને સેનામાં અગ્નિવીર તરીકે 46,000 ખાલી જગ્યાઓ હતી, પરંતુ લોકો સુધી માત્ર 46,000 નોકરીઓ પહોંચી હતી. કોરોનાને કારણે ઉંમરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આગામી 4-5 વર્ષમાં આપણા સૈનિકોની સંખ્યા 50-60,000 થઈ જશે અને બાદમાં તે વધીને 90,000-1 લાખ થઈ જશે. અમે યોજનાનું વિશ્લેષણ કરવા અને માળખાગત ક્ષમતા વધારવા માટે 46,000 થી પણ ઓછી રકમ શરૂ કરી છે. જાહેરાત પછી જે ફેરફારો થયા તે કોઈ ડરથી ન હતા પરંતુ તે બધા પહેલાથી જ તૈયાર હતા.
ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં અમને 25,000 અગ્નિવીરની પ્રથમ બેચ મળશે અને બીજી બેચ ફેબ્રુઆરી 2023 ની આસપાસ સામેલ કરવામાં આવશે, જે તેને 40,000 સુધી લઈ જશે.