PMOના આદેશ બાદ આજે 2 અઠવાડિયા પછી કેન્દ્ર સરકારના દરેક મંત્રીઓએ પોતાનું કામ ઓફિસ આવીને શરૂ કર્યું છે. આજથી ઓફિસ આવનારા મંત્રીઓમાં સૂચના અને પ્રસારણ મંત્રી, રસાયણમંત્રી, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને યુવા મામલાના મંત્રી કિરેન રિજીજૂ હાજર રહ્યા હતા. તમામ મંત્રીઓ કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને કામ કરશે.
2 અઠવાડિયા બાદ કામ પર પાછા ફર્યા અધિકારીઓ
આ રીતે કરી કામકાજની રૂપરેખા તૈયાર
કામમાં સોશ્યલ ડિસ્ટન્સિંગને અપાયું ખાસ મહત્વ
Delhi: Union Youth Affairs and Sports Minister Kiren Rijiju who is joining office from today arrives at the Sports Authority of India. He says,"Only senior officials&minimum required staff will be coming to the office today onwards. We'll follow all guidelines regarding COVID19". pic.twitter.com/QPwbKUgWaH
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમઓ દ્વારા કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓને સોમવારથી તેમની કચેરીઓમાં આવવાનું શરૂ કરવા જણાવ્યું હતું. આ સમય દરમિયાન, મંત્રાલયોના વરિષ્ઠ કર્મચારીઓને ઓફિસમાં આવવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે જુનિયર સ્ટાફને કામ પર આવવું જરૂરી ન હોય તો તેમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. ઓફિસથી કામ કરતી વખતે, દરેકને સોશ્યલ ડિસ્ટન્સિંગની કાળજી લેવાનું પણ કહેવામાં આવ્યું છે.
કામકાજની તૈયારીઓ શરૂ
2 અઠવાડિયાના વિરામ પછી નવું કામ કરવાનું શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે. કામ પર પાછા ફરતા અધિકારીઓમાં સહ-સચિવો અને બીજા અધિકારી રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌણ કર્મચારીઓમાંથી માત્ર ત્રીજા ભાગને કામ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમજ હૉટસ્પોટ વિસ્તારોમાં ફસાયેલા કર્મચારીઓને પણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત જાહેર પરિવહનનો ઉપયોગ કરનારા કર્મચારીઓને પણ ઓફિસે ન આવવાની સ્વતંત્રતા મળી છે. જરૂરી તમામ વિભાગોનો સ્ટાફ પહેલાથી જ કાર્યરત બની ચૂક્યો છે.