રાજ્ય સરકારના મંત્રીઓના PA, PS અને APSની નિમણૂક મામલે કેટલાક મંત્રીઓએ વિરોધ નોંધાવ્યો છે કેબિનેટ બેઠકમાં 4 સિનિયર મંત્રીઓએ PA, PS અને APSની નિમણૂક મામલે વાંધો ઉઠાવ્યો.
સરકારના કેટલાક મંત્રીઓને PA-PS નથી ગોઠતા
મંત્રીઓની સામે આવી નારાજગી; વરિષ્ઠ મધ્યસ્થી
રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરાઈ સ્ટાફ બદલવા માંગ
રાજ્મંય સરકારના મંત્રીઓના PA, PS અને APSની નિમણૂક મામલે કેટલાક મંત્રીઓએ વિરોધ નોંધાવ્યો છે.ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં 4 સિનિયર મંત્રીઓએ PA, PS અને APSની નિમણૂક મામલે વાંધો ઉઠાવ્યો હતો. આ વરિષ્ઠ મંત્રીઓ વિશ્વાસુ અધિકારીની પસંદગી કરવા માગે છે.ત્યારે હવે એક સિનિયર મંત્રીએ આ મામલે મધ્યસ્થતા કરી છે. અને આ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા પણ કરી છે.
PA-PS પણ આપ્યા નવા નક્કોર
બે મહિના પહેલા રાજ્યમાં રચાયેલા નવા મંત્રી મંડળ બાદ,લગભગ 15 થી 20 દિવસ સુધી નવા મંત્રીઓને PA,PS કે APS ફાળવાયા નહોતા.રાજ્ય સરકારે એવી ગણતરી માંડી હતી કે, મંત્રી મંડળ બદલાવવા સાથે મંત્રીઓનો અંગત સ્ટાફ પણ બદલી નાખવામાં આવે. વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવા આ પગલું જરૂરી હોવાનું માની નવો સ્ટાફ આપવામાં આવ્યો હતો.પરંતુ નવા સ્ટાફ સાથે રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અસહજતા અનુભવે છે. પરિણામે કેટલાક મંત્રીઓએ નવા ફાળવાયેલા સ્ટાફ પ્રત્યે નારાજગીના સૂર વહેતા કર્યા હતા. હવે આ કેસમાં એક સિનિયર મંત્રીએ મધ્યસ્થી કરી છે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ચર્ચા પણ કરી છે. હવે આગામી દિવસોમાં રજૂઆત કરનારા ચાર જેટલા મંત્રીઓના સ્ટાફ પ્રત્યે રાજ્ય સરકાર કેવું વલણ દાખવે છે તે જોવું રહ્યું છે.
મિશન-2022 માટે અપાયો છે 'ટાસ્ક'
રાજ્ય સરકારે મિશન-2022 માટે જનસુખાકારીના પગલાં લેવા તસ્મામ મંત્રીઓને આદેશ આપ્યા છે.આ ઉપરાંત પ્રવાસ ઓછા અને સોમ-મંગળ ગાંધીનગરમાં જ રહેવા સૂચનાઓ આપી છે.જેનું પાલન પણ થાય છે.ઉપરાંત, ધારાસભ્યોને વધારે વખત રાહ ના જોવી પડે તેવી પણ સુચના અપાઈ છે.કોરોના કાળ પછી રજૂઆત કરનારાઓ માટે સરકારે ગાંધીનગરના દરવાજા ખુલા મુક્યા છે.આવા સંજોગોમાં સરકારના ચાર મંત્રીઓને પોતાની ત્વરાથી કામ નહિ થતું હોય કે ગમે તે કારણ હોય, તેમના અંગત સ્ટાફ સાથે અનુકૂલન સધાતું નથી.આ પરિણામે તેઓએ પોતાનો સ્ટાફ આપવા એક સિનિયર મંત્રીને રજૂઆત કરી છે.અને આ માહિતી મુખ્યમંત્રી સમક્ષ પહોચી ગઈ છે.