મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ પોતાની અલગ કાર્યશૈલીને કારણે સમગ્ર પ્રદેશના લોકોનું ફરી એકવાર દિલ જીતી ગયા છે.
સમગ્ર પ્રદેશના લોકોનું ફરી એકવાર દિલ જીતી ગયા
ઑફિસની સામે જ આ પ્રકારની લાપરવાહી નહીં ચાલે
ફરિયાદ ના સાંભળતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની આપી ચીમકી
સમગ્ર પ્રદેશના લોકોનું ફરી એકવાર દિલ જીતી ગયા
મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ પોતાની અલગ કાર્યશૈલીને કારણે સમગ્ર પ્રદેશના લોકોનું ફરી એકવાર દિલ જીતી ગયા છે. ગુરુવારે રાત્રે તેઓ રાજધાની ભોપાલથી ગ્વાલિયરના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત જઈને ત્યાંની સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી અને બીજા દિવસે શુક્વારે તેઓ મોતીઝીલમાં આવેલ એક વીજ કંપનીની ઓચિંતી મુલાકાત લેવા પહોંચી ગયા. ત્યાં તેમણે અધિકારીઓ સાથે શહેરમાં વારંવાર વીજળી શા માટે જઈ રહી છે તે પાછળના કારણો માટેના સવાલો પૂછ્યા, જવાબમાં અધિકારીઓએ કહ્યું કે વધુ પડતાં લોડના કારણે અને પશુ પક્ષીઓના કારણે વીજળી ટ્રીપ થઈ જાય છે.
ઑફિસની સામે જ આ પ્રકારની લાપરવાહી નહીં ચાલે
જ્યારે પ્રદ્યુમન સિંહ તોમર મુખ્યાલયથી નીકળી રહ્યા હતા ત્યારે તેમણે મોતી ઝીલની સામે લાગેલ એક ટ્રાન્સફોર્મર પર એક ચકલીનોમ માળો અને ઝાડની થોડી ડાળીઓ જોઈ. આ દ્રશ્ય જોઈને તેમણે અધિકારીઓ સામે જ પોતાની નારાજગી વ્યકત કરી અને કહ્યું કે જ્યારે મુખ્ય ઑફિસની સામે જ આ પ્રકારની લાપરવાહી જોવા મળી રહી છે તો શહેરના બીજા વિસ્તારોની શું હાલત હશે? આ એક દમ સરળતાથી સમજી શકાય છે.
ફરિયાદ ના સાંભળતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની આપી ચીમકી
તેમણે તરત જ અધિકારીઓને બોલાવ્યા અને ત્યાં નજીકમાં ઝડપથી સીડી મંગાવી અને પોતે જ તે ટ્રાન્સફોર્મર સુધી પહોંચી ગયા. સૌથી પહેલા તેમણે ત્યાં રહેલી ડાળખીઓ હટાવી. તેમણે કહ્યું કે મેન્ટેનેન્સને લઈને પણ આવી રહેલ ફરિયાદોને લઈ તેઓ ગમે ત્યારે પ્રદેશમાં નિરીક્ષણ કરવા માટે નીકળી શકે છે. સાથે જ આ માટે જે પણ ઓફિસર જવાબદાર હશે તેમના પર જરૂરી પગલાં પણ લેવામાં આવશે. (ફોટો : ટ્વિટર)