ગુજરાતમાં અવાર નવાર વ્યાજખોરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વ્યાજખોરીની ઘટનાઓને લઈ માંજલપુરના ધારાસભ્ય અને મંત્રી યોગેશ પટેલે વ્યાજખોરો સામે મોરચો માંડયો છે. મંત્રી યોગેશ પટેલનું એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્યાજખોરો ગરીબોને પોતાનો ટાર્ગેટ બનાવે છે અને તેમની પાસેથી ઉંચુ વ્યાજ વસુલવામાં આવે છે.
વ્યાજખોરોના આતંક સામે MLA મેદાને
એટલું જ નહી મંત્રી યોગેશ પટેલે વડોદરામાં વ્યાજખોરોનો આતંક કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાની પણ ખાતરી આપી હતી મંત્રીએ જણાવ્યુ કે વ્યાજખોરો ગરીબો પાસેથી ઉંચુ વ્યાજ વસુલે છે.તથા તેનો સૌથી વધુ ભોગ નાના વેપારીઓ અને ફેરિયાઓ બને છે. વ્યાજખોરો તેમની પાસેથી 20થી 25 ટકા જેટલુ વ્યાજ વસુલે છે. આવા વ્યાજખોરોને ભગવાનનો પણ ડર નથી તેમ મંત્રીએ જણાવ્યુ હતું.
કાર્યવાહી કરવા કમિશનરને કરશે રજૂઆત
વ્યાજખોરોના આતંકને લઈને મંત્રી યોગેશ પટેલનું મહત્વનું નિવેદન કહ્યું હતું કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા તેઓ પોલીસ કમિશનરને રજૂઆત કરશે તથા માંજલપુર વિસ્તારના ફેરિયાઓને બેન્ક મારફતે લોન અપાવવા માટે પ્રર્યત્ન કરવાની પણ તેમને ખાતરી આપી હતી.