ભાવનગરઃ રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઇ દેવનું આજે અવસાન થયું છે. લાંબી બિમારી બાદ વિજયભાઇ દવેનું નિધન થયું છે. વિજયભાઇની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હેમરેજની સર્જરી કરવામાં આવી હતી.
વિજયભાઇનું સાંજના સમયે નિધન થયું હતું. ભાવનગર ખાતે આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વીટ કરીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી.
ગુજરાત સરકારના રાજયમંત્રી શ્રીમતી @vibhavaridaveજી ના પતિશ્રી વિજયભાઈ દવેના દુઃખદ અવસાન પર ઊંડા શોકની લાગણી પ્રગટ કરું છું. ઇશ્વર સદગત આત્માને શાંતિ આપે તથા આ આઘાતને સહન કરવાની શક્તિ કુટુંબીજનોને આપે તેવી પ્રાર્થના કરું છું.