દિલ્હીની વિશેષ અદાલતે તિહાર જેલમાં રહેલા લોકોને તેમની ધાર્મિક માન્યતાઓ મુજબ ખોરાક પૂરો પાડવા માટે જેલ સત્તાવાળાઓને નિર્દેશ આપવાની સત્યેન્દ્ર જૈનની માંગને કોર્ટે ફગાવી દીધી છે.
દિલ્હીની વિશેષ અદાલતે સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી
કોર્ટે તિહાર જેલ પ્રશાસન પર પણ આકરી ટિપ્પણી કરી
DRP 2018 નું ઉલ્લંઘન કરીને ખાધ સામગ્રી પૂરી પડાતી હતી
દિલ્હીની વિશેષ અદાલતે શનિવારે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જેમાં જેલ સત્તાવાળાઓને તિહાર જેલમાં તેમની ધાર્મિક માન્યતાઓ માટે ખાધ સામગ્રી પૂરી પાડવાના નિર્દેશની માંગ કરવામાં આવી હતી. આ સાથે કોર્ટે તિહાર જેલ પ્રશાસન પર પણ આકરી ટિપ્પણી કરી હતી ત્યારે મળતી માહિતી મુજબ કોર્ટે પોતાનો આદેશ આપતા કહ્યું કે જેલના રેકોર્ડસ પ્રથમ નજરે દર્શાવે છે કે જેલ સત્તાવાળાઓ દિલ્હી સરકારમાં મંત્રી હોવાને કારણે DRP 2018 નું ઉલ્લંઘન કરીને સત્યેન્દ્ર જૈનને ફળો અને શાકભાજી પૂરા પાડતા હતા.
ત્યારે સત્યેન્દ્ર જૈને તિહાર જેલમાં 28 કિલો વજન ઘટાડ્યું હોવાનો પણ દાવો કર્યો છે. શનિવારે વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલેએ કહ્યું કે જૈનનું વજન તેઓની નિયમિત કસરતના કારણે ઘટ્યું છે. આ માટે જેલ પ્રશાસન જવાબદાર નથી. કોર્ટે કહ્યું કે સત્યેન્દ્રકુમાર જૈનને ફળો, શાકભાજી અને ડ્રાય ફુટ્સ આપવા માટે તિહાર જેલના અધિક્ષકને નિર્દેશ આપવાનું કોઈ કારણ નથી. તેથી સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી દેવામાં આવે છે.
વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલેએ એમ પણ કહ્યું કે હું જોવા માંગુ છું કે જ્યારે સત્યેન્દ્ર જૈન તેમના ધર્મ પ્રમાણે ધાર્મિક ઉપવાસ કરવા ઈચ્છે તો તેઓ જેલ પ્રશાસનને આ અંગે લેખિતમાં જાણ કરે છે કે પછી ડીપીઆર 2018 ના નિયમો અનુસાર જેલ પ્રશાસન અરજી પર નિર્ણય લેશે. જે જેલ પ્રશાસન દ્વારા ધાર્મિક ઉપવાસની મંજૂરી આપવામાં આવશે તે તેને નિયમો અનુસાર ખાધ પદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જૈનના વકીલે અરજીમાં કહ્યું કે તેમના અસીલને ફળો, શાકભાજી અને ડ્રાયફ્રુટ્સ આપવામાં આવી રહ્યા હતા. જે જેલ પ્રશાસને બંધ કરી દીધા છે.
બીજી તરફ તિહાડ જેલનાં વકીલે કહ્યું કે જો તબીબી અધિકારી દ્વારા ચોક્કસ સમયગાળા માટે ફળોની ભલામણ કરવામાં આવે છે તો તેને મર્યાદિત સમય માટે મંજૂરી આપી શકાય છે. વહીવટી તંત્ર કોઈપણ ભેદભાવ વગર તમામ કેદીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડે છે અને જૈનની અરજીમાં કહેવામાં આવ્યું છે.