બોલિવુડની સુપ્રસિદ્ધ ફિલ્મ નાયક તો તમે જોઈ હશે.આ ફિલ્મમાં મુખ્યમંત્રીનો રોલ કરી રહેલા અનિલ કપુર જે રીતે સામાન્ય લોકોના કામ કરે છે તે અદભૂત દ્રશ્ય છે.આ ફિલ્મનો લોકોએ ખુબ વખાણી હતી.હાલ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કંઈ આવી જ સ્ટાઈલમાં ધડાધડ ઓચિંતી રેડ મહેસુલ ખાતામાં કરી રહ્યા છે.જેને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.આજે રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ જિલ્લાની મુલાકાતે હતા.જ્યાં તેઓ અચાનક મામલતદાર કચેરીમાં પહોંચ્યા.
રીક્ષામાં મામલતદાર કચેરીએ પહોંચ્યા
આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી.કે ન તો કોઈ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું.રીક્ષામાં એક વ્યક્તિ આવે છે.એકબાદ એક લોકોને મળે છે.અને લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરે છે.લોકોની સમસ્યા જાણી તે અધિકારીઓને ત્વરિત લોકોના કામનો જલદી કરવા માટે સુચના આપે છે.ફિલ્મી લાગતા આ દ્રશ્યો વલસાડના છે.જ્યાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અચાનક મામલતદાર કચેરીમાં પહોંચી ગયા.અને પહોંચ્યા પણ કેવી રીતે?.ગાડીઓના કાફલા સાથે નહીં.પણ એક સામાન્ય વ્યક્તિની માફક રીક્ષામાં.રીક્ષામાં સીધા મામલતદાર કચેરીમાં પહોંચ્યા પહેલા જ તેઓ ત્યાં રહેલા લોકોને મળ્યા.અને લોકોને મળી શું પૂછ્યું સાંભળો તમે.
અધિકારીઓ આવી ગયા હરકતમાં
લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો.તેમણે લોકોને એવું પણ પૂછ્યું કે કોઈ પૈસા તો માગતું નથીને?.જનતા સાથે સીધો સંવાદ કર્યા પછી મંત્રીશ્રી કચેરીની અંદર ગયા અને ત્યાં અધિકારીઓને મળ્યા.તેમને કેટલાક પ્રશ્નો કર્યા.અને જનતાના કામ ત્વરિત કરવા માટે સુચના આપી.પરંતુ સૌથી મહત્વની વાત તો એ જાણવા મળી કે અહીં થતી કામગીરીથી જનતા પણ ખુશ જોવા મળી.કોઈએ અધિકારીઓ કે તંત્ર સામે ફરિયાદ ન કરી.અને બધુ જ સિસ્ટમથી સારી રીતે ચાલતું હોવાનું સામે આવ્યું.જેના કારણે મંત્રી પણ રાજી થયા.
મહેસુલ મેળામાં માત્ર 10 મિનિટમાં વૃદ્ધનું કામ પતાવી દીધું
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના આ અભિગમને લોકો પણ આવકારી રહ્યા છે.અને આવી જ રીતે તમામ મંત્રીઓ કામ કરે તો.સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધશે.અને જનતાના કામોને વેગ મળશે.તો વલસાડમાં એક એવા પણ વૃદ્ધ મળ્યા.જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા હતા.તેમની જમીન પર કોઈ અન્ય વ્યક્તિએ મકાન બાંધી દીધું હતું.વૃદ્ધ કચેરીના ધક્કા ખાઈને પગ ઘસાઈ ગયા હતા.પરંતુ મહેસુલ મેળામાં માત્ર 10 મિનિટમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કામ કરી દીધું.
નાયક જેવા રોલથી અધિકારીઑમાં ફફડાટ
રાજેન્દ્ર ત્રિવેદી એડવોકેટ હોવાથી કાયદાના સારા જાણકાર છે.તેઓ વિધાનસભાના અધ્યક્ષ પણ રહ્યા છે.અને તેઓ જ્યારથી મંત્રી બન્યા ત્યારથી સતત ઓચિંતી મુલાકાત જેતે કચેરીઓની લઈ રહ્યા છે.તેના કારણે અધિકારીઓ જનતાના કામ પુરજોશથી કરી રહ્યા છે.અધિકારીઓમાં કામ કરવાને લઈ એક ડર જોવા મળી રહ્યો છે.આવી રીતે કામ થાય તો જનતાનો વિશ્વાસ સરકારમાં વધશે.