ગુજરાત સરકારના મંત્રીઑ નાયક ફિલ્મની જેમ એક બાદ એક કચેરી પર જઈ જાત નિરીક્ષણ કરી અધિકારીઑને સૂચનો કરી રહ્યા છે.
મંત્રીઓનું ઓન ધ સ્પોટ નિરીક્ષણ!
રાજેન્દ્ર ત્રિવેદી વિજાપુર પહોંચ્યા
પ્રદીપ પરમાર રિક્ષામાં પહોંચ્યા કાર્યાલય
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામે રિ-સર્વેની કામગીરીનું નિરીક્ષણ માટે આકસ્મિક રૂબરૂ મુલાકાત લીધેલ હતી. આ રી-સર્વે માપણી નિહાળવા મહેસૂલ મંત્રી ખેતરના પાળામાં એક કી.મી. જેટલું ચાલીને પહોંચ્યા હતા.
ખેડૂતોને સંતોષ મળે તે મુજબ કામ કરો: રાજેન્દ્ર ત્રિવેદી
મહેસૂલ મંત્રીએ ખેડુતોની હાજરીમાં ETS અને પ્રિઝમ દ્વારા થતી રિ-સર્વેની માપણીની જાતે જ ચકાસણી કરી હતી. જેમાં 72 જેટલા ખેડુતોના રી-સર્વેના પ્રશ્નોનો સ્થળ પર કેમ્પ કરીને ઉકેલ લાવવામાં આવ્યો છે. ખેડૂતોએ આ પ્રકારે નિર્ણયથી રાજીપો વ્યકત કર્યો છે. મહેસૂલ મંત્રીએ આ કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારી અને અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો અને ઝડપથી ખેડૂતોને સંતોષ મળે તે મુજબ કામગીરી પુર્ણ કરવા સૂચના આપી છે.
પ્રદીપ પરમારે કરી રીક્ષામાં મુસાફરી કરી
તો આ તરફ રાજ્ય સરકારના મંત્રીએ રીક્ષામાં કરી મુસાફરી કરી છે. મંત્રી પ્રદીપ પરમારે કરી રીક્ષામાં મુસાફરી કરી અને સામાન્ય વ્યક્તિની જેમ રીક્ષામાં પોતાના કાર્યાલય પહોંચ્યા હતા.અમદાવાદના અસારવા વિસ્તારમાં તેમનું કાર્યાલય આવેલું છે. પોતાના નિવાસસ્થાનેથી કાર્યાલય સુધી રીક્ષામાં કરી મુસાફરી.
આ પહેલા વલસાડમાં જ રાજેન્દ્ર ત્રિવેદીએ રિક્ષામાં કરી હતી મુસાફરી
પ્રસિદ્ધ નાયક ફિલ્મ માં જે રીતે મુખ્યમંત્રી અનિલ કપૂર અચાનક જ લોકોની વચ્ચે સામાન્ય માણસ બનીને લોકો વચ્ચે જઇને લોકોની પ્રશ્નોને વાચા આપતો જોવા મળે છે અને સરકારી કર્મચારીઓમાં એક ધાક બેસાડવા નો પ્રયત્ન કરતો મુખ્યમંત્રી લોકોને ખુબ પસંદ આવ્યો હતો તેવા જ પ્રકારના દ્રશ્યો આજે વલસાડ જિલ્લામાં જોવા મળ્યા હતા. 11 ફેબ્રુઆરીના રોજ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અચાનક જ વલસાડ મામલતદાર કચેરીમાં રિક્ષામાં બેસીને આવ્યા ગયા હતા અને સામાન્ય લોકોના પ્રશ્નોને સાંભળ્યા હતા ત્યારે વલસાડના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક રિક્ષામાં બેસીને મંત્રીને જોઈને વલસાડ વાસીઓ પણ અચંબિત થઈ ગયા હતા. કેબિનેટ મંત્રી અચાનક જ રિક્ષામાં રજીસ્ટર કચેરી સુધી પહોંચતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી.. તો પોતાના કામ માટે આવેલા અરજદારો પણ મંત્રીને જોઈને ચોંકી ગયા હતા