વલસાડમાં સાગર પરિક્રમા યાત્રા દરમિયાન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની બોટ દમણના દરિયામાં અટવાતા કાર્યક્રમમાં મોડુ થયુ હતું જે ને લઇને લોકો અકળાયા હતા.
સાગર પરિક્રમા યાત્રા કાર્યક્રમનો ફિયાસ્કો
મંત્રી પરષોત્તમ રૂપાલાની બોટ અટવાઇ
દમણના દરિયામાં અટવાઈ બોટ
કેન્દ્ર સરકાર દ્વારા સાગરખેડૂઑ માટે જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચે તે માટે સાગર પરિક્રમા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સુરતના ડુમસથી બીજા તબક્કાની સાગર પરિક્રમા યાત્રા શરૂ કરાવી હતી. આ દરમિયાન વલસાડના ઉમરગામમાં સાગર પરિક્રમા યાત્રા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોય તેવો ઘાટ સર્જાયો હતો. બોટ દરિયામાં અટવાઈ ગઇ હતી.
કાર્યક્રમમાં વિલંબ થતા લોકો અકળાયા
વલસાડના ઉમરગામમાં સાગર પરિક્રમા યાત્રા દરમિયાન મંત્રી પરષોત્તમ રૂપાલાની બોટ દમણના દરિયામાં ફસાઈ હતી. દરિયો રફ હોવાથી મંત્રી દમણમાં મોડા પહોંચ્યા હતા. જે ને લઈને કાર્યક્રમમાં મોડુ થતા લોકો અકળાયા હતા. બીજી તરફ મંત્રી નરેશ પટેલના ભાષણ સમયે લોકોએ જમવા માટે લાઇનો લગાવી હતી. લોકોએ ભાષણ સાંભળવાની જગ્યાએ જમવામાં રસ દર્શાવ્યો હોવાનું સામે આવ્યું હતું.