રાજ્યકક્ષાના મંત્રી નિમિષા સુથારે ટ્વીટ કરી જાણકારી આપી
રાજ્યમાં વધુ એક મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથારને કોરોના લક્ષણો દેખાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તે આઈસોલેટ થયા છે. તેમજ સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા મંત્રીએ કરી અપીલ કરી છે. આ પહેલા સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કોરોના ઝપેટામાં આવી ગયા હતા.
ગુજરાતમાં કોરોના કેસ કુદકેને ભૂસકે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16608 કેસ કોરોના કેસ સામે આવતા જાણે કોરોના કેસોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે. તો કોરોનાને લીધે 28 લોકોના મોત થયા છે.