હર્ષ સંઘવીએ ભૂતકાળને વાગોળતાં કહ્યું વિદેશ પ્રવાસમાં બહાર જવાનું થતું ત્યારે વધુ સિગારેટ પીતો જે વાત PM મોદીને ધ્યાને આવતા તેમણે મને કૂટેવ છોડવા ટકોર કરી હતી
રાજ્યના યુવાઓને હાથ જોડી વિનંતી કરું છું
હું પણ પહેલા સિગારેટ પીવાની લતમાં આવી ગયો હતો
PM નરેન્દ્ર મોદીએ મને ટકોર કરી સિગારેટ છોડવી હતી
રાજ્યમાં યુવાધન નશાખોરીના રવાડે ચઢી ગયું છે.નશાયુકત પદાર્થો અને માદક દ્રવ્યોની જાળમાં ફસાયેલા યૌવનને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું કે, આ લત બૂરી છે જે શરીર અને મનને ખોખલાં કરી નાખે છે. માટે આ રસ્તો ત્યજી દઈ સન્માર્ગે વળવા અપીલ કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, જુવાનીના જોશમાં હું પણ પહેલા સિગારેટ પીવાની લતમાં આવી ગયો હતો.પરંતુ PM નરેન્દ્ર મોદીએ મને એક જ ટકોર કરી અને મે સિગારેટને જીવનભર માટે ત્યજી દીધી છે.યુવાઓને હાથ જોડીને અપીલ કરવા માંગું છું કે યુવાઓ પણ ડ્રગ્સ ફ્રી ગુજરાતના અભિયાનમાં જોડાય અને રાષ્ટ્ર સેવામાં લાગી જાય. માદક દ્રવ્યો યુવાઓના ભવિષ્યને બદબાર કરી રહ્યું છે.અને આ દૂષણને નાથવા યુવાઓ પણ માદક પદાર્થોની માહિતી પોલીસ સુધી પહોંચાડે તે જરૂરી છે. યુવાનો સિગારેટની લત પર ન ચડે તેવી મારી હાથ જોડીને વિનંતી છે.
વિદેશ પ્રવાસમાં બહાર જવાનું થતું ત્યારે વધુ સિગારેટ પીતો: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ આજે ડ્રગ્સ બાબતે દેશ સહિત ગુજરાતના યુવાનોને સંદેશ પાઠવતા તેમના ભૂતકાળના સિગારેટના વ્યસનને યાદ કરી કહ્યું હતું કે હું જ્યારે વિદેશ પ્રવાસ કરતો હતો અને કામ વધુ રહેતું હતું ત્યારે હું સિગારેટ પીતો હતો. પણ પીએમ મોદીના ધ્યાને આ વાત આવતા તેમણે મને ટકોર કરી હતી. કે વ્યસન ન કરાય. જે બાદ મૈ અત્યાર સુધી ક્યારે સિગારેટ પીધી નથી. અને યુવાનોને પણ કહેવા માગું છે કે મન મક્કમ રાખી વ્યસનની લત છોડી દેવી જોઈએ. પીએમ મોદીના સૂચન અને મારી મક્કમતાને લીધે મારુ સિગારેટનું વ્યસન છૂટી ગયું છે.
નશા સામે ગુજરાતના યુવાનો લડાઈ આપે
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી પોલીસી અંગે માહિતી આપતા કહ્યું કે, કેફી અને નશા કારક પદાર્થના વેપાર પર લગામ કસવા સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યના કોઈ પણ ખૂણે-ખાંચરે કોઈ પણ વ્યક્તિ નશાકારક પદાર્થ સેવન કરતો કે વેન્ચતો હોય તેની બાતમી આપનારને પુરસ્કાર આપવમાં આવશે. જેમાં બાતમીદાર અને પોલીસ કર્મીઓ માટે ઇનામ આપવાનું આયોજન વિચારાયું છે.આ પોલીસીમાં બાતમીદારની માહિતી બાદ કાર્યવાહી થવાના કિસ્સામાં ઇનામ આપવામાં આવશે.ગૃહમંત્રીએ ઉમેર્યું કે, ATS તરફથી સૂચન મળ્યા બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શનથી નવી પોલિસી લાવવામાં આવી છે. જેમાં જપ્ત કરેલ મુદ્દામાલના 20 ટકા સુધી રિવોર્ડ આપવામાં આવશે.અને સરકારીકર્મીઓ માટે 2 લાખથી વધુનું રિવોર્ડ નહીં આપવામાં આવે,તેમ પણ ઉમેર્યું હતું.