ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાટણમાં હળવા મૂડમાં દેખાયા, એક જાહેર સભામાં સંબોધન કરતા તેમણે કહ્યું કે હુ પત્નીથી છુપાઈ છુપાઈને પાટણ આવ્યો છું..પત્નીને ખબર પડે તો મારે પણ...
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હળવા મૂડમાં
હું પત્નીથી છૂપાઇને પાટણ આવ્યો છું
પત્નીને ખબર પડે તો પટોળું લઇ જવું પડે
ગુહ રાજજ્યમંત્રી હર્ષ સંઘવી પાટણમાં હળવા મૂડમાં દેખાયા હતા..તેમણે એક સભાને સંબોધન કરતા કહ્યું કે હુ પત્નીથી છુપાઈ છુપાઈને પાટણ આવ્યો છું..પત્નીને ખબર પડે તો મારે પણ પટોળું લઈ જવું પડે..હર્ષ સંઘવીએ પાટણના સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમમાં હાજરી આપી તે દરમિયાન જાહેરમાં મંચ પરથી સંબોધન કરતા કહ્યું જે બાદ હાજર રહેલા સૌ કોઈમાં હળવું હાસ્ય ફેલાઈ ગયું હતું...
આ રીતે તૈયારી થાય છે પાટણના જાણીતા પટોળા
મહત્વનું છે પાટણના પટોળા દેશ અને આખ દુનિયામાં એક અલગ ઓળખ ધરાવે છે... પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશ્મી સાડીઓ જે દરેક ગૃહિણી કે મહિલા પાટણના પટોળા લેવાની ઈચ્છા ધરાવતી હોય છે..પટોળા એ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે. તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણવાણાને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપુર્વક રંગવામાં આવે છે. ત્યાપ બાદ તેને ચોક્સાઇપુર્વક શાળ પર ગોઠવે છે, જેનાથી નાજુક, ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમિતિક રેખાકૃતિઓવાળી વિશિષ્ટ ડિઝાઇન સહજ રીતે તૈયાર થાય છે..
એક સાડી તૈયાર કરતા લાગે છે 4 થી 6 મહિનાનો સમય
એક પટોળું તૈયાર થતા અંદાજીત 4-6 મહિના જેટલો સમય લાગે છે..રેશમી દોરાઓને રંગ કરવામાં સિત્તેરથી વધારે દિવસ વણાટકામમાં લાગતા હોય છે અંદાજે 25 દિવસ મળીને એક સાડી તૈયાર કરતા 4-6 મહિના થાય છે. આ સાડી ચાર પ્રકારની શૈલીમાં મળે છે. જો વાત કરવામાં આવે તો જૈનો અને હિન્દુઓ માટે ફૂલો, પોપટ, હાથી અને નાચતી આકૃતિઓવાળી જ્યારે મુસ્લિમ વોરાઓ માટે લગ્ન પ્રસંગોએ વપરાતી ભૌમિતિક અને ફૂલોવાળી ડીઝાઇનની તો મહારાષ્ટ્રીય બ્રાહ્મણો માટે નારી કુંજ તરીકે ઓળખાતી સાડીઓ, જે સ્ત્રીઓ અને પક્ષીઓની ભાતની ગાઢ કાળા રંગની બોર્ડરવાળી હોય છે, તો બીજી તરફ પૂર્વના દેશોના પરંપરાગત નિકાસ બજારો માટેની સાડીઓ ખાસ કરીને ઝિગઝેગ ડિઝાઇનમાં વણેલા તાણવાણા માટે રંગકામની પેટર્નને ઉપસાવવા અત્યંત કુશળ રંગારાની જરૂર પડે છે..
પત્નીને ખબર પડે તો પટોળું લઇ જવું પડે : હર્ષ સંઘવી
આમ પાટણના પટળો દેશ અને દુનિયમાં એક અલગ ઓળખ ધરાવે છે.. જેને લઈ તે આખી દુનિયામાં જાણીતા બન્યા છે..ત્યારે પાટણમાં આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હળવા મુળમાં કહી દીધું કે પાટણ છુપાઈને આવ્યું છે.. પત્ની જાણ થશે તો મારે પણ પટોળા લઈ જવા પડશે...જેને લઈ જાહેર સભામાં ઉપસ્થિત સૌ કોઈમાં હળવું હાસ્ય ફેલાઈ ગયું હતું.
6 લાખ હોય છે એક સાડીની કિંમત
પટોળું બનાવવા માટે વનસ્પતિમાંથી ખાસ પ્રકારના રંગ તૈયાર કરવામાં આવે છે. સિલ્કથી બનતી પટોળા સાડી માત્ર ગુજરાતના પાટણ શહેરમાં જ તૈયાર થાય છે. પટોળાનું કપડુ ફાટી જાય પરંતુ તેમનો રંગ ન જાય.હેન્ડવર્કથી તૈયાર થતી પટોળા સાડીની કિંમત દોઢ લાખથી લઈને 6 લાખ સુધીની હોય છે. તેમને તૈયાર કરવા વાલા માસ્ટર રાહુલ સાલ્વી કહે છે કે સિલ્કથી બનેલી પટોળા સાડી માત્ર ગુજરાતના પાટણમાં જ તૈયાર થાય છે. અને જેની એક સાડીની કિંમત લાખોમાં એટલા માટે છે કારણ કે સાડીને તૈયાર કરવા માટે ન તો મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને ન તો ડીઝાઈન બનાવવા માટે કમ્પ્યુટર મદદ લેવામાં આવે છે. પાટણમાં સાડી તૈયાર કરનાર હવે 5 માસ્ટર વિવર્સ બચ્યાં છે. સમગ્ર ધંધો ઓર્ડર મુજબ ચાલે છે.
એક જ પરિવાર બનાવે છે પાટણમાં પટોળા
900 વર્ષ જૂની આ કલાના દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ખરીદદારો છે. આ ઉપરાંત પાટણમાં પટોળા સાડી બનાવવાની કોઈ ઇન્ડસ્ટ્રી નથી. પટોળા બનાવનાર એક જ પરિવાર પાટણમાં છે જે 30 પેઢીઓથી આ ધંધા સાથે સંકળાયેલી છે. અને આની એક બીજી પણ વિશેષતા છે. દુનિયાની એક માત્ર એવી સાડી છે જેને તૈયાર કર્યા બાદ ઉપરથી રંગ લગાવવામાં આવે છે. રંગ લગાવેલા ધાગાને બનાવીને તેમને ડીઝાઈન આપવામાં આવે છે. આ કારણે પટોળા બનાવવાની પ્રક્રિયા જટિલ છે. એક પણ ધાગો અલગ પડે તો સાડી ખરાબ થઈ જાય છે. માટે તે વાતનું પણ ખુબ ધ્યાન રાખવું પડે છે.
900 વર્ષ જુનો પટોળાનો ઈતિહાસ
પાટણના પટોળાની સાડી 900 વર્ષ જૂની છે. 12મી સદીમાં સોલંકી વંશના રાજા કુમારપાળ પૂજા પાઠમાં બેસતાં ત્યારે પટોળા ધારણ કરતા હતા. તે વખતે પટોળા મહારષ્ટ્રના જાલનામાં તૈયાર થતા હતા. ત્યારબાદ રાજા કુમારપાળે મહારાષ્ટ્રના જાલનાના 700 પટોળા વિવર્સને બોલાવ્યા અને પાટણમાં વસવાટ કરી ઉદ્યોગ ચલાવા માટે કહ્યું હતું. ત્યારથી જ પાટણમાં પટોળા પરંપરા શરુ થઈ.