ગત રાત્રીએ પથ્થરમારાની ઘટનાને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હિંમતનગરની મુલાકાત લેશે. કાયદો-વ્યવસ્થા મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કરશે બેઠક
હિંમતનગરની ઘટના મામલે સરકાર હરકતમાં
ગૃહરાજ્ય મંત્રી હિંમતનગરની લેશે મુલાકાત
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક
હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થર મારાનો મામલો
હિંમતનગરમાં વધુ એકવાર પથ્થરમારો થવાની ઘટના બની છે.ગત રોજ શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થયો છે. બે ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે ભીડ પર કાબૂ મેળવવા માટે 6 ટિયરગેસના સેલ છોડ્યા હતા. બીજી તરફ આ ઘટના બાદ વણઝારા વાસમાં કેટલાક સ્થાનિકોએ વારંવાર હુમલા થવાના કારણે પોતાના માલ-સમાન લઈને અને અન્ય સ્થળે હિજરત કરી રહ્યાં છે. ત્યારે આ ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધલી હિંમતનગરની મુલાકાત લેશે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક
સુત્રોના જણાવ્યા અનુસાર હિંમતનગરના વણઝારા વાસમાં ગત રાત્રીના રોજ બનેલી ઘટનાના પગલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે હિંમતનગરની મુલાકાતે જશે. જ્યાં તેઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે અને કાયદો અને વ્યવાસ્થાની સ્થિતીને લઈને ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, હિંમતનગરના વણઝારા વાસમાં દિવસ દરમિયાન શાંતિ રહ્યાં બાદ ગત રાત્રીએ થયું હતું છમકલું
વણઝારા વાસમાંથી સ્થાનિકોએ કરી હિજરત
મહત્વનું છે કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગત રાત્રી દરમિયાન થયેલા પેટ્રોલ બોમ્બના હુમલા બાદ સતત ભય સતાવી રહ્યો છે, આ સાથે આ વિસ્તારમાં વારંવાર આવા હુમલાઓ થતાં રહેતા હોય છે. જેથી અમે અમારા પરિવાર સાથે અન્ય સ્થળે શીફ્ટ થઈ રહ્યાં છે. ઉલ્લેખનયી છે કે, ગત રાત્રીના દરમિયાન પેટ્રોલ બોમ્બના હુમલા બાદ નાના બાળકો ભયનો માહોલ ફેલાઈ ગયો છે. બીજી તરફ આ ધટના બાદ વણઝારા વાસમાંથી બનેલી ઘટના બાદ 7 થી 8 પરિવાર પોતાના ઘર બંધ હિજરત કરી રહ્યા છે