ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહી તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી પરતું રથયાત્રા પહેલા આજે જળયાત્રા મહોત્સવ યોજાઈ રહ્યો છે
રથયાત્રા પહેલા આજે ગુરુવારે જળયાત્રા મહોત્સવ
ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે
જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહી તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી પરતું રથયાત્રા પહેલા આજે જળયાત્રા મહોત્સવ યોજાઈ રહ્યો છે જમાલપૂર નિજ મંદિરમાં જળયાત્રા મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચી છે. જ્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ ગઈ છે.
ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે
પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ થોડીવારમાં પહોંચશે. જોકે મંદિરની પૂજામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ ચેરમેન , પક્ષના નેતા સહિતના એકપણ સત્તાધીશો પૂજામાં હાજર રહ્યાં નથી.
જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ
મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. બાદમાં ભગવાનનો અભિષેક કરી ભગવાન ગજવેશ ધારણ કરે છે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહ્યા છે જેમાં માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા.
મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
જળયાત્રામાં 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળયાત્રા યોજાય છે પરંતુ કોરોના મહામારીના કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજી નિર્ણય લેવાયો નથી.
ભગવાન ના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તો ને દર્શન આપશે
જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. કોવિડને કારણે TVના માધ્યમથી ભગવાન ભક્તોને દર્શન આપશે. બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઇ જશે. સરસપુર મંદિરે મોસાળવાસીઓ દ્વારા ભગવાનનું સ્વાગત કરાશે.
બપોર બાદ ભગવાન ને મોસાળવાસીઓ લઇ જશે સરસપુર
એક માન્યતા મુજબ આ દિવસથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘેર જાય છે અને આ દિવસથી મંદિરમાં તેમના દર્શન થતાં નથી. તેમની પ્રતિમાને સ્થાને માત્ર ફોટો મૂકવામાં આવે છે.ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળ સરસપુરમાં છે. તેમજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પૂનમના દિવસે નિજ મંદિરમાં પરત ફરે છે. તેની બાદ અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.