મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી અને NCP નેતાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં તબિયત સ્થિર
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઘનંજય મુંડેને આવ્યો હાર્ટએટેક
મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
હાલમાં તબિયત સ્થિર
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડેને હાર્ટ એટેક આવ્યો. હાલમાં તેઓની મુંબઇ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મંગળવારે સાંજે જનતા દરબારનો કાર્યક્રમ હતો. સાંજે પાંચ વાગે તેઓ ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમની છાતીમાં દુખાવો શરુ થયો હતો. જે પછી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જઇને એડમિટ કરવામાં આવ્યા હતા
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી મળવા પહોંચ્યા
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ ફોન કરીને તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેઓ ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ધનંજય મુંડેની હાલત સ્થિર છે. મંત્રીઓનું કામ થોડુ વધારે તણાવભર્યુ બોય છે. ગઇ કાલે મોડી રાત સુધી કામ કર્યા બાદ તેઓ મંગળવાર સવારે જનતા દરબારમાં આવ્યા હતા. હાલતો તણાવને કારણે હાર્ટએટેક આવ્યો હોવાનું જણાઇ રહ્યું છે. મહત્વનું છે કે ધનંજય મુંડેને ડોક્ટરોની ટીમ પળે પળની દેખરેખ રાખી રહી છે. તેઓના હજી સાત દિવસ સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
Maharashtra's Social Justice Minister and NCP leader
Dhananjay Munde admitted to Breach Candy Hospital in Mumbai after he suffered a minor heart attack.
મહત્વનું છે કે ધનંજય મુંડે દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાથી કરી હતી. 2012માં તેઓ ભાજપ છોડીને NCPમાં જોડાયા હતા. 2014માં તેમને વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તે જ વર્ષે, તેમણે વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી પરંતુ પંકજા, તેમના પિતરાઈ ભાઈ અને ગોપીનાથ મુંડેની પુત્રી સામે ચૂંટણી હારી ગયા હતા. 2019 માં, તેમણે ફરીથી બીડની પરલી બેઠક પરથી પંકજા મુંડેનો સામનો કર્યો અને આ વખતે તેઓ ચૂંટણી જીતી ગયા. હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં તેઓ સામાજિક ન્યાય મંત્રી છે. મહારાષ્ટ્રના તે ધારદાર નેતા માનવામાં આવે છે અને ઉપ મુખ્યમંત્રી અજીત પવારના નજીકના ગણાય છે. કહેવામાં આવે છે કે તેઓના વિધાનસભામાં વિપક્ષી નેતા ફડણવીસ સાથે સારા સંબંધ છે.