ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ આંગણે ટકોરો મારી રહી છે જેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ગુજરાતનો ગઢ જીતવા ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડી, ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ ખાતે એક કર્યક્રમમાં આવેલા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડેહાથ લિધી હતી. જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર ભરતી મુદ્દે ધગધગતા આરોપો લગાવ્યા હતા. વધુ આપને કેન્દ્રમાં રાખીને જીતુ વાઘાણીએ કોઇને લોભામણી જાહેરાતોમાં ન ફસાવા ટકોર કરી હતી.
લોકકલ્યાણના કાર્યક્રમોનું સાતત્યપૂર્ણ અમલીકરણ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodiજીની કેન્દ્ર સરકારે દેશને એક તાંતણે બાંધ્યો છે ત્યારે રાજકોટ ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ૧૦,૦૦૦ થી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો એનાયત કર્યા. pic.twitter.com/O2KiEDLLlZ
લાભાર્થીઓને લખો રૂપિયાની સહાય વિતરણ કરવામાં આવી
રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનનું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓ વધુને વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તેવા ઉમદા ભાવ સાથે આવા કાર્યક્રમો થઇ રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને લખો રૂપિયાની સહાય વિતરણ કરવામાં આવી હતી. વધુમાં રાજ્ય સરકાર દરેક બાળકને શિક્ષણ આપવા કટિબદ્ધ હોવાનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દાવો કર્યો હતો.
ચૂંટણી પહેલા બધું મફત આપવાવાળા લોકો પણ આવશેઃ વાઘાણી
આ તકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીતના પક્ષો સામે મંત્રી વાઘાણીએ ચાબખા માર્યા હતા તેમણે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, પહેલા રૂપિયાના જોરે સરકારી ભરતી થતી હતી હવે મેરીટના આધારે ભરતી થાય છે. વધુમાં જીતુ વાઘાણીએ AAP પર પ્રહારો કરતાં જણાવ્યુ હતું કે, ચૂંટણી પહેલા આંબા-આંબલી બતાવી બધું મફત આપવાવાળા લોકો પણ આવશે પરંતુ લોકો લોભામણી જાહેરાતોથી પર રહેજો. વધુંમાં 2022ની ચૂંટણીએ 2024માં દિલ્લી જવા માટેનો રસ્તો છે તેમ અંતમાં જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું.