સુરતમાં કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કરી દીધું ત્યારે સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈએ લોકડાઉન અને શાળા બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે.
કોરોનાનું વધતું સંક્રમણ
સુરતનું વહીવટી તંત્ર હરકતમાં
મંત્રી કનુ દેસાઈએ લોકડાઉનનો કર્યો ઈન્કાર
કોરોનાને લઈને સુરત તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત પ્રભારી મંત્રી કનુ દેસાઈએ કોરોનાને લઇ અધિકારીઓ સાથે બેઠક કરી. તેઓએ કહ્યું કે અત્યારે લોકડાઉન નહીં લગાવાય. સુરતમાં જે તૈયારી કરાઇ તેની સમીક્ષા કરવામાં આવી છે. હાલ બધા ઓક્સિજન પ્લાન્ટ ચાલું છે. અને હોસ્પિટલોમાં દવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આંશિક લોકડાઉન લગાવવાનો વિચાર નથી. શાળા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
સુરતના કોરોના સંકટને લઈને CM સક્રિય
સુરતમાં વધતા કોરોના સંકટને લઈને CM ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં મનપા કમિશનર,કલેકટર,જિલ્લા આરોગ્ય વડા તથા શહેર, જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.બેઠકમાં સુરતમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી મેળવી અનુરૂપ પગલા લેવા માટે CMએ સૂચના આપી હતી.
સુરતમાં બપોર સુધીમાં 569 કોરોનાનાં નવા કેસ
સુરતની સૂરત કોરોનાએ બગાડી નાખી છે. ગઈકાલે 1105 કોરોના કેસ સામે આવ્યા બાદ આજે બપોર સુધીમાં 569 કોરોનાનાં નવા કેસ બહાર આવ્યા છે. સુરતમાં કોરોનાથી એ45 વર્ષિય મહિલા સારવાર દરમિયાન મોત થયું છે.
10 દિવસમાં કેટલા કેસ?
27 ડિસેમ્બર
22
28 ડિસેમ્બર
52
29 ડિસેમ્બર
72
30 ડિસેમ્બર
74
31 ડિસેમ્બર
97
01 જાન્યુઆરી
156
02 જાન્યુઆરી
209
03 જાન્યુઆરી
213
04 જાન્યુઆરી
415
05 જાન્યુઆરી
630
06 જાન્યુઆરી
1105
છેલ્લા અઠવાડિયામાં 200 વિદ્યાર્થીઓ સંક્રમિત
સુરતમાં વધતા કોરોના સંક્રમણને લઈને વાલીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે.છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં 200 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.તથા ગઇકાલે 94 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા.વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓએ ધો.1થી 5ના વર્ગો ઓફલાઇન બંધ કરીને ઓનલાઇન શરૂ કરવા માગ કરી છે.