PM મોદીએ 2019માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં અટલ ટીકરીંગ લેબની શરૂઆત કરાવી હતી.
રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મોરબીની મુલાકાતે
શનાળા ગામની શાળામાં અટલ ટીકરીંગ લેબનું લોકાર્પણ
વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ વડે તે માટેના પ્રયાસ
મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે અટલ ટીકરીંગ લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ વડે તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર ઉદ્ધાર નહીં
આ કાર્યક્રમમાં શાળાના સંચાલક જયંતિભાઈ રાજકોટિયા તેમજ આગેવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા ત્યારે સ્કૂલના સંચાલકએ જણાવ્યું હતું કે, વર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જેથી કરીને બાળકો નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સમજ તથા તેના જુદા જુદા પ્રયોગો થકી તેઓ માનસિક વિકાસ થાય તે માટે થઇને સરકાર દ્વારા અટલ ટીકરીંગ લેબ મંજૂર કરવામાં આવે છે અને સહયોગ આપવામાં આવી રહ્યો છે અને તેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ વડે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તો રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ આજે મોરબીની શાળામાં જે લેબનું લોકાર્પણ કર્યું હતું તેના થકી બાળકોના ઉજવળ ભવિષ્યની વાત કરી હતી.
2019માં PM મોદીએ કરવી હતી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-2019 માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં 'અટલ ટીકરીંગ લેબ' ની શરૂઆત કરાવી હતી. વિદ્યાર્થીઓ નાનપણથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ લે તે માટે અટલ ટીંકરીંગ લેબ યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ નીતિ આયોગ દ્વારા શાળાઓને રૂ.10 લાખની સહાય આપવામાં આવે છે અને દર વર્ષે નિભાવણી માટે રૂ.2 લાખ આપવામાં આવે છે.