વેરાવળના ભીડિયા બંદર પર લંગારવામાં આવેલી મોટી બોટોને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. વેરાવળનો દરિયો તોફાની બનતા 40થી 50 મોટી બોટોને ક્રેન દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભીડિયા બંદરે પહોંચી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ભુપેન્દ્રસિંહ ચુડાસમા માછીમારો સાથે સ્થિતિ અંગે વાતચીત કરી હતી.