જૂનાગઢમાં બમ બમ ભોલે.. હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે આજથી મહા શિવરાત્રીના પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થશે.
જૂનાગઢમાં આજથી પાંચ દિવસીય મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ
આજે ભવનાથ મહાદેવના મંદિરના શિખર ઉપર થશે ધ્વજારોહણ
જૂનાગઢમાં સંત-શ્રદ્ધાળુઓનું ઉમટશે મહેરામણ
કોરોનાને કારણે 2 વર્ષથી નહતું થતું મેળાનું આયોજન
જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ
બમ બમ ભોલે... હર હર મહાદેવ હરના ગગનભેદી નાદ સાથે શુક્રવારથી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થશે.મહાશિવરાત્રીની ઉજવણી 25 ફેબ્રુઆરીથી લઇને 1લી માર્ચ સુધી યોજાશે. જેમાં લાખ્ખોની સંખ્યામાં મહાદેવ ભક્તો જોડાશે. તેમજ ભવનાથ મહાદેવના મંદિરના શિખર ઉપર વિવિધ અખાડા, આશ્રમોના સંતો- મહંતો, અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરાશે. બાદમાં તમામ અખાડા,આશ્રમોમાં પણ ધ્વજારોહણ સાથે મહા શિવરાત્રી મેળાની શરૂઆત થશે.
કોરોનાને કારણે 2 વર્ષથી નહતું થતું મેળાનું આયોજન
તેમજ આજથી તળેટી વિસ્તારમાં 100થી વધુ અન્નક્ષેત્ર ધમધમતા થશે.આ સાથે જ અન્નક્ષેત્રો, ઉતારા મંડળો ધમધમતા થશે. ચારો તરફ શિવના નારા પણ ગુંજવા લાગશે. સાથે રાત્રિના ભજન, ભક્તિની પણ સરવાણી વહેશે. દરમિયાન કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી લોકો-ભાવિકો માટે મેળો યોજાયો ન હતો. હાલ કોરોનાનો કહેર નબળો પડતાં સરકારે કોરોનાની ગાઇડ લાઇન સાથે મેળાની છૂટ આપી છે. ત્યારે આ વર્ષે અગાઉના વર્ષો કરતા વધુ ભાવિકો ઉમટી પડશે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. ત્યારે આવનાર ભાવિકોની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઇ છે.