ચીનના મોટા ભાગના યુવક અને યુવતીઓની માનસીકતા બદલાઈ રહી છે. જેમા મોટા ભાગનું યુથ લગ્ન કરવા નથી માગતુ જેમા કારણે અહીયાની સરકારની ચીંતા હવે વધી છે.
ચીનના યુવક યુવતીઓની માનસીકતા બદલાઈ
મોટા ભાગનું યુથ લગ્ન કરવા નથી માગતું
સર્વેમા સામે આવ્યા ચોંકવનારા ખુલાસાઓ
ચીનથી કોરોના મહામારીની શરૂઆત થઈ અને બાદમાં આ વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જોકે હવે ચીન પોતેજ એક ગંભીર સમસ્યામાં ફસાઈ ગયું છે. ચીનમાં વસ્તી નિયંત્રણને લઈને કાયદો બનાવામાં આવ્યો હતો જોકે તે કાયદો એટલો કામ નથી આવી રહ્યો જેટલી સરકારને આશા હતી.
સરકારે આપેલા વાયદોઓ પૂર્ણ નથી થયા
વધુમાં અહીયા લગ્નનું પ્રમાણ ઘટી રહ્યું છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે 17 લાખ દંપત્તિએ અહીયા લગ્ન કર્યા છે. જોકે રેડિયો ફ્રી એશિયાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન ઓછા થયા છે તેને કોરોના મહામારી સાથે પણ જોડી ન શકાય. આની પાછળ ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા જે વાયદાઓ આપવામાં આવ્યા તે પૂરા નથી થયા જેથી તે પણ ખાસ કારણ છે.
43 ટકા મહિલાઓ લગ્ન માટે ના પાડી
ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના યુથ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમા એવું સામે આવ્યું છે કે 3 હજાર લોકો હવે જીવનસાથીને જરૂરી નથી માનતા. સર્વે અનુસાર 43 ટકા જેટલી મહિલાઓનું કહેવું છે કે તે લગ્ન નહી કરે અથવા તો લગ્ન વીશે હજું તેમણે કશું વિચાર્યું નથી.
લગ્ન ન કરનારા યુવાઓની સંખ્યા વધી
ચીનમાં લગ્નની અનિશ્ચિતતા આર્થિક સ્થિતી સાથે જોડાયેલી છે. અહીયા અમીર શહેરોના લોકો લગ્ન વગરજ રહેવા માગે છે. એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થા જેટલી વિકસીત થશે તેટલાજ લોકો સક્રિય રૂપે એકલા રહેવાનું પસંદ કરશે. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ વધી રહ્યો છે તેમ તેમ અહીયા લગ્ન ન કરનારા યુવાઓની સંખ્યા પણ વધી રહી છે.
યુવાનોની માનસીકતાને લઈને સરકારની ચિંતા વઘી
ઉલ્લેખનીય છે કે એક રિપોર્ટ પ્રમાણે એવી હકીકત સામે આવી છે કે ભલે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો હોય પરંતુ અહીયા લગ્ન ન કરનારા યુવાઓની સંખ્યા પણ વધી રહી છે. જેના કારણે રાષ્ટ્રપતિ જિનપિંગની ચીંતા પણ વધી ગઈ છે. પહેલા અહીયા વસ્તીને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. જોકે હવે સરકાર એવું ઈચ્છી રહી છે કે લોકો અહીયા વધારે બાળકો પેદા કર. કારણકે એક્સપર્ટોનું એમ કહેવું છે જો લોકોની માનસીકતા અહીયા લગ્ન પ્રત્યે આવી રહી તો અહીયાની વસ્તીનો ગ્રાફ ઝડપથી નીચે આવી શકે છે.