રાજકોટમાં આર. કે ગ્રુપમાં આઈટી દ્વારા જે રેડ કરવામાં આવી હતી તે રેડ હજુ 3 દિવસ ચાલશે. આઈટી તેમની ઓફિસમાંથી હાલ 4 કરોડની રોકડ રકમ મળી આવી છે.
રાજકોટના આર કે ગ્રુપમાં થયેલી રેડ મુદ્દે ચોકવનારા ખુલાસા
કરોડોના વ્યવહારોનો થયો પર્દાફાશ
આઈટી ઓફિસમાંથી 4 કરોડની મળી રોકડ રકમ
રાજકોટમાં ગઈકાલે સવારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આર.કે ગ્રુપ પર દરોડા કર્યા હતા. જેની તપાસ હજું પણ ચાલી રહી છે. ઉપરાંત હજું એવી માહિતી સામે આવી છે કે આ તપાસ હજુ 3 દિવસ ચાલી શકે છે. સમગ્ર મામલે આઈટીની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યો છે. જેમા મોટો ખુલાસો એ છે કે આર.કે ગ્રુપ દ્વારા મિલકતનું ખરીદ વેચાણ રોકડમાં થતું હતું.
ઓફિસમાંથી મળ્યા 4 કરોડ
આઈટીને હાલમાં તેમની ઓફિસમાંથી 4 કરોડની રોકડ રકમ મળી આવી છે. સાથેજ ફાયનાનસ્ પેઢીની કાચી ચિઠ્ઠીમાં પણ કોરોડોના વ્યવહાર થતા હોવાનો ખુલાસો થયો છે. આપને જણાવી દઈએ કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વર્ષ સુધી આર. કે. ગ્રુપ પર વોચ રાખવામાં આવી હતી અને બાદમાં તેમણે રેડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ દિવસ તપાસ ચાલુ રહેશે
એક વર્ષની વોચ રાખ્યા બાદ આઈટી દ્વારા આર.કે ગૃપના 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે., આપને જણાવી દઈએ કે આર. કે ગ્રુપના રેસિડેન્ટ અને કોમર્શિયલ પ્રોજેક્ટોમાં મોટા ઉદ્યોગપતિ તેમજ મોટા વેપારીઓએ રોકાણ કર્યુ છે. છેલ્લા એક વર્ષથી ઈન્કમટેક્સની તેના પર નજર હતી. હાલ તો કાચી ચિઠ્ઠીમાંથી કોરોડોના વ્યવહાર પકડાયા છે અને ત્રણ દિવસ તપાસ હજું ચાલું રાખવામાં આવશે.
ટેક્સ ચોરીના આરોપો
ઉલ્લેખનીય છે કે આર. કે ગ્રુપ પર આરોપ લાગ્યા છે કે તેઓ કેશ પર થતા ટ્રાન્ઝેકશનનો ટેક્સ નહી ભરીને ટેક્સ ચોરી કરતા હતા. ટેક્સચોરી છુપાવવા માટે સમગ્ર મામલે કેટલાક બિલ્ડરોએ તેમનો નંબર પણ બદલી નાખ્યો હતો. સાથેજ બધો ડેટા પણ ડિલીટ કરી નાખ્યો. જોકે આઈટી દ્વારા તે બધો ડેટા રિકવર કરી લેવામાં આવ્યો છે.